1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઉત્તરાખંડના ધારચુલામાં ભારે વરસાદને કારણે પુલ ધોવાયો, ચીન સરહદ સાથેનો સંપર્ક તૂટ્યો

પિથોરાગઢ, 04 જુલાઈ 2026: ઉત્તરાખંડના ધારચુલા વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે આપત્તિ જેવી સ્થિતિ સર્જાઈ છે. તવાઘાટ નજીક ભૂસ્ખલનને કારણે તનકપુર-તવાઘાટ હાઈવે બંધ થઈ ગયો છે. આદિ કૈલાશ માર્ગ પર, માલઘાટ નજીક, પહાડ પરથી પથ્થરો પડી રહ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉપયોગમાં લેવાતો તવાઘાટ-લિપુલેખ માર્ગ બંધ છે. ચીનની સરહદને જોડતો તવાઘાટ-સોબલા-તિદાગ રોડ કાટમાળ જમા […]

આલિયા ભટ્ટની ફિલ્મ આલ્ફા વિવાદોમાં: પાકિસ્તાની એક્ટ્રેસની પોસ્ટે સોશિયલ મીડિયા પર છેડ્યો નવો વિવાદ

મુંબઈ, 4 જુલાઈ 2026: ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી યશરાજ ફિલ્મ્સ બેનરની સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘આલ્ફા’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, પરંતુ તેની વાર્તાને લઈને હવે એક મોટો વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાની અભિનેત્રી ઇકરા અઝીઝની એક સોશિયલ મીડિયા પોસ્ટે ઇન્ટરનેટ પર હંગામો મચાવી દીધો છે, જેના કારણે મામલો ભારત વિરુદ્ધ પાકિસ્તાન […]

વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે ભારતના ઓપરેશન અમિસ્તારની કરી પ્રશંસા

કારાકાસ, 4 જુલાઈ 2026: વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે આજે ભારતના ‘ઓપરેશન અમિસ્તાર’ હેઠળ દેશમાં સ્થાપિત કરવામાં આવેલી ફીલ્ડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ તબીબી સેવાઓની દિલથી પ્રશંસા કરી હતી. આપત્તિના આ સમયમાં મદદનો હાથ લંબાવવા બદલ તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો […]

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – સંસદના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજુએ આજે શનિવારે આ અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ 2026ના ચોમાસુ સત્રના બંને ગૃહની બેઠક યોજવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટ, 2026 સુધી […]

અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર 2029ના અંત સુધીમાં તૈયાર થઈ જશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદ, 04 જુલાઈ 2026:  ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સંપૂર્ણ હાઈ-સ્પીડ રેલ કોરિડોર 2029ના અંત સુધીમાં તૈયાર થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગુજરાત […]

ભારતના છેલ્લા 12 વર્ષ અછતથી વિકાસ તરફની પ્રગતિના રહ્યા છે: રક્ષા મંત્રી

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – “છેલ્લા 12 વર્ષોમાં ભારતની સફર અછતથી આત્મનિર્ભરતા, આત્મનિર્ભરતાથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી વિકાસ ભારત તરફની પ્રગતિ રહી છે,” એમ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 04 જુલાઈ, 2026 ના રોજ નવી દિલ્હીમાં એક મીડિયા સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેના પ્રથમ કાર્યકાળમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર […]

પીએમ મોદી સોમવારથી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની છ દિવસીય મુલાકાતે જશે

નવી દિલ્હી, 04 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી શરૂ થતી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની છ દિવસીય યાત્રા પર જશે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) રુદ્રન્દ્ર ટંડને જણાવ્યું હતું કે મોદી 6 થી 8 જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયામાં રહેશે. વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન, મોદી ઇન્ડોનેશિયાના […]

ઉપ-રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 04 જુલાઈ 2026:  ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાધાકૃષ્ણનને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક તરીકે વર્ણવ્યા. તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રના શાશ્વત જ્ઞાનને વિશ્વ સમક્ષ પહોંચાડ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી […]

શું રામ મંદિરમાં દાનની ચોરી આયોજિત હતી? જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 4 જુલાઈ, 2026 – શું રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો આયોજિત હતો? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ અંગે આંકડા સહિત દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જણાવ્યા અનુસાર દાન-ચોરી કેસના મુખ્ય આરોપીઓ પૈકી એક ટિન્નુ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ […]

પીએમ મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું: કનેક્ટિવિટી વધારવા નવી ઉડાન યોજના પણ લોન્ચ

જોધપુર, 4 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના જોધપુર ખાતે નવધિર્મિત અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ ખાસ પ્રસંગે તેમણે દેશમાં પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાના હેતુથી સુધારેલી ઉડાન યોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ મહત્વકાંક્ષી પરિયોજનાઓથી દેશમાં પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગારીની તકોને એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code