1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રએ હજયાત્રા કરનારાઓને આપી મોટી રાહત – આ વર્ષે હજ માટેની અરજી કરવા માટે નહી ભરવી પડે ફી,મહિલાઓ મહેરમ વિના કરી શકશે હજ
કેન્દ્રએ હજયાત્રા કરનારાઓને આપી મોટી રાહત – આ વર્ષે હજ માટેની અરજી કરવા માટે નહી ભરવી પડે ફી,મહિલાઓ મહેરમ વિના કરી શકશે હજ

કેન્દ્રએ હજયાત્રા કરનારાઓને આપી મોટી રાહત – આ વર્ષે હજ માટેની અરજી કરવા માટે નહી ભરવી પડે ફી,મહિલાઓ મહેરમ વિના કરી શકશે હજ

0
Social Share
  • હજયાત્રાને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય
  • હજયાત્રાના આવેદન મફ્તમાં રહેશે ફી ભરવી પડશે નહી

આ વર્ષે સાઉદીની સરકાર દ્રારા હજયાત્રાને લઈને ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે  તો ભારતની સરકારે પણ હજયાત્રાને લઈને નવી પોલિસી રજૂ કરી છે જેનો ફઆયદો મહિલાઓને પણ ણળવા જઈ રહ્યો છે. ખાસ કરીને હજયાત્રા માટેની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે તો હવે હજયાત્રા કરનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્ર સરકારે હજ યાત્રીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હજ પોલિસી 2023 મુજબ, આ વખતે હજ માટેની અરજી મફતમાં કરી શકાશે, એટલે કે તમામ હજ યાત્રીઓ  અરજીની ફી લેવામાં આવશે નહી

આ પહેલા હજ માટેના આવેદન પ્ત્ર ભરવા માટે 400 રૂપિયા લેવામાં આવતા હતા. એટલું જ નહીં, આ વખતે પ્રતિ અરજી પર લગભગ 50 હજારનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. હાજીઓએ હવે બેગ, સૂટકેસ, છત્રી, ચાદર જેવી વસ્તુઓ માટે પૈસા ચૂકવવા પડશે નહીં. તેઓ પોતાના સ્તરે સામાન ખરીદી શકશે.

નવી હજ પોલિસી પ્રમાણે વૃદ્ધો ,દિવ્યાંગો અને મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.આ સાથે જ , 45 વર્ષથી ઉપરની કોઈપણ મહિલા હવે એકલી હજ માટે અરજી કરી શકશે એટલે કે આ પહેલા મહેરમ વગર હજ કરવા જઈ શકાતું નહતું સરકારે આ બાબતે પણ છૂટ આપી છે.

એટલે કે હવે  સરકારે મહેરમ વગર ચાર મહિલાઓ સાથે જવાનો નિયમ  નાબૂદ કર્યો છે. મહિલાઓને આ નિર્ણયથી ઘણો ફાયદો થશે એકલી મહિલા પણ હવે હજ કરવા જઈ શકશે.જાણકારી પ્રમાણે  આ વખતે 1 લાખ 75 હજારમાંથી 80 ટકા હાજીઓ હજ કમિટી વતી જશે. જ્યારે 20 ટકા હાજીઓ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા હજ માટે રવાના થવાના છે.

આ સહીત કેન્દ્ર સરકારે હજ યાત્રીઓ માટે VIP ક્વોટા નાબૂદ કરી દીધો છે. આવી સ્થિતિમાં હવે VIP યાત્રીઓએ પણ સામાન્ય હજ યાત્રીઓની જેમ મુસાફરી કરવી પડશે.આ  ક્વોટા વર્ષ 2012માં લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ ક્વોટાની 100 બેઠકો સિવાય, અન્ય તમામ 400 VIT બેઠકો રદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે મક્કા મદિના સાઉદીમાં આવેલું ઈસ્લામ ઘ્રમનું પવિત્ર સ્થળ છે જ્યા વિશઅવભરના મુસ્લિમ બિરાદરો એકઢા થાય છે લાખોની સંખ્યામાં લોકો હજ અને ઉમરાહ કરવા જાય છે ત્યારે આ વખતે દેશની સરાકર વીઆઈ કોટા રદ કરીને તેનો ફાયદો સામાન્ય લોકોને આપશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code