1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. NFSUના ચોથા દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત રહેશે
NFSUના ચોથા દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત રહેશે

NFSUના ચોથા દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત રહેશે

0
Social Share

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સૂર્ય કાંત, ‘મુખ્ય અતિથિ’ તરીકે આ પ્રસંગની શોભા વધારશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ઉપસ્થિત રહેશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે.એમ. વ્યાસ દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરશે.

NFSU ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ જાહેરાત કરી હતી કે 17 પીએચ.ડી. મેળવનારાઓ સહિત કુલ 1,799 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. શૈક્ષણિક શ્રેષ્ઠતાની માન્યતામાં, તેજસ્વી વિદ્યાર્થીઓને 52 ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે.

દીક્ષાંત સમારોહ દરમિયાન એક ઐતિહાસિક પહેલનું અનાવરણ પણ કરવામાં આવશે. ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ દ્વારા ઇન્ટરનેશનલ ડિજિટલ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર (IDDRC)નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ અગ્રેસર કેન્દ્રનો ઉદ્દેશ્ય નવીનતા, પારદર્શિતા અને વિવાદોના ઝડપી નિરાકરણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યાયિક પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવાનો છે. IDDRC ની કલ્પના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિવાદ નિવારણમાં સુલભતા અને અસરકારકતા વધારવા માટે કરવામાં આવી છે.

આ દીક્ષાંત સમારોહમાં ઝિમ્બાબ્વે અને સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ સહિત આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, તેમજ ભારતભરની પ્રખ્યાત હસ્તીઓ, વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓ, બોર્ડ ઓફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સહભાગી થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code