દિલ્હીમાં સફાઈ કર્મીઓને લઈને સીએમ કેજરિવાલની જાહેરાત,દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 હજાર સફાઈ કર્મીઓને કાયમી કરાશે
દિલ્હી- દિલ્હી મ્યુનશિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને લઈને દિલ્હીના મુખેયમંત્રી અરવિંદ કેજરિવાલે મહત્વની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણેદિલ્હી સરકાર MCDના 5000 સ્વચ્છતા કર્મચારીઓને કાયમી કરવા જઈ રહી છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 5000 સફાઈ કામદારોની પુષ્ટિ કરવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે જાન્યુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં સરકારે 6494 સફાઈ કામદારોની પુષ્ટિ કરી છે.
આ બાબતને લઈને સીએમ કેજરિવાલે કહ્યું કે કાચા કર્મચારીઓ એટલે કે જેઓ તેમની નોકરી વિશે કંઈ જાણતા નથી તેમને આજે બોલાવવામાં આવે છે પરંતુ કાલે કામ માટે બોલાવવામાં આવતા નથી. તેને મહિનામાં 15 દિવસ માટે બોલાવવામાં આવશે કે 20 દિવસ માટે તે જાણી શકાયું નથી કે રજા અંગે પણ કોઈ માહિતી નથી.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ સરકાર 15 વર્ષથી મહાનગરપાલિકામાં સત્તામાં હતી, તે દરમિયાન તેણે સફાઈ કામદારોનું શોષણ કરવામાં કોઈ કસર છોડી નથી. જ્યારથી દિલ્હી સરકારે સફાઈ કામદારોને કન્ફર્મ કરવાની જાહેરાત કરી છે ત્યારથી સફાઈ કામદારો ખૂબ જ ખુશ છે.
એટલું જ નહી તેમણે પોતાની સરકારના વખાણ કરતા કહ્યું કે જ્યારથી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે ત્યારથી 30,000 કાચા કામદારોને કન્ફર્મ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જે પણ સરકારમાં અને જ્યાં પણ અમને તક મળશે, અમે ત્યાં કાચા કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીશું.
વઘુમાં તેમણે જનતાને સંબોધતા તેમણે કહ્યું કે જ્યારથી આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે ત્યારથી મહાનગરપાલિકા તરફથી સારા સમાચાર આવી રહ્યા છે. પહેલા માત્ર ભ્રષ્ટાચાર અને કર્મચારીઓને પગાર ન મળવાના સમાચાર આવતા હતા.