1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં CNG પંપ સંચાલકોની શુક્રવારથી હડતાળ, લાખો વાહનોને અસર પડશે
ગુજરાતમાં CNG પંપ સંચાલકોની શુક્રવારથી હડતાળ, લાખો વાહનોને અસર પડશે

ગુજરાતમાં CNG પંપ સંચાલકોની શુક્રવારથી હડતાળ, લાખો વાહનોને અસર પડશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યના પેટ્રોલ પંપ પર વેચાતો સીએનજી 3જી  માર્ચને શુક્રવારથી અચોક્કસ મુદત માટે બંધ થશે. પેટ્રોલ પંપ પર વેચાતા સીએનજી પર છેલ્લા 55 માસથી માર્જીન ન વધારાતાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોશિએશને સીએનજી વેચાણ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ એસોશિએશનને સમર્થન કરતાં ગુજરાત ગેસ ફ્રેન્ચાઇઝના ડિલરોએ  પણ સીએનજી વેચાણ ન કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયથી રાજ્યમાં રહેલી 12 લાખ સીએનજી રિક્ષાઓ અને 6 લાખ જેટલી સીએનજી કારને ભારે હાલાકી પડશે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ એશોશીએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યુ હતું  કે, છેલ્લા 55 માસમાં સીએનજીના દરોમાં ધરખમ વધારો થયો છે. સાથે જ સીએનજીના વેચાણ અને તેના સંચાલન ખર્ચમાં પણ વધારો થયો છે. જેની સામે ઓઇલ માર્કેટીંગ કંપની આઇઓસીએલ,બીપીસીએલ અને એચપીસીએલ કંપની દ્વારા સીએનજીના માર્જીનમાં કોઇ પણ પ્રકારનો વધારો ન  કરાતાં વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે .1 જુલાઇ 2017ના રોજ સીએનજી પરનો માર્જીન રીવાઇઝ કરવામાં આવ્યુ હતુ. 55 મહિનાથી સીએનજીનું વેચાણ કરતા ડીલરના માર્જિનમાં વધારો ન થતાં પંપમાલિકોએ 3 જી માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પાડવાની જાહેરાત કરી છે. હડતાળના લીધે અમદાવાદના 70 સહિત રાજ્યના 800 સીએનજી પંપ બંધ રહેશે.

ફેડરેશનના હોદ્દેદારોએ કહ્યું કે, 55 મહિનામાં સીએનજીના દરો અને સંચાલનના ખર્ચમાં વધારો થયો છે. ઓઈલ કંપની ડીલરો પાસેથી સીએનજીના એડવાન્સ બિલ બનાવીને રૂપિયા મગાવે છે. સરકાર સમક્ષ વારંવાર જાણ કરવા છતાં ડીલરોને માર્જિનની રકમ નહીં આપવામાં આવતા હવે અચોક્કસ મુદતની હડતાળ પડાશે. ઓઈલ કંપનીઓ પાસે બાકી નીકળતી 35 કરોડની રકમ ડીલરોને ચૂકવી દેવામાં આવે  તો હડતાળનો નિર્ણય મોકૂફ રહી શકે છે.(File photo)

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code