1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં પાલિકાઓના ચીફ ઓફિસરોને કલેક્ટરે રખડતા ઢોરની સમસ્યા દુર કરવા કર્યો આદેશ
બનાસકાંઠામાં પાલિકાઓના ચીફ ઓફિસરોને કલેક્ટરે રખડતા ઢોરની સમસ્યા દુર કરવા કર્યો આદેશ

બનાસકાંઠામાં પાલિકાઓના ચીફ ઓફિસરોને કલેક્ટરે રખડતા ઢોરની સમસ્યા દુર કરવા કર્યો આદેશ

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, થરાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. રખડતા ઢોરને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે  જિલ્લાના તમામ ચીફ ઓફિસર્સ સાથે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રિત કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે.

બનાસકાંઠાના શહેરી વિસ્તારમાં પશુત્રાસ અટકાવવા અને નિયંત્રણ માટે કલેકટરે નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને કડક શબ્દોમાં આદેશ  આપ્યો છે. સાથે જ નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરને ગૌશાળા અને પાંજરાપોળમાં રાખવામાં આવે,  નિયમિત રીતે ઢોર પકડવાની કામગીરી સુચારૂ રીતે થાય તેમજ નગરપાલિકા પ્રમાણે અલગ જગ્યા સુનિશ્વિત કરી ઢોરને રાખવા માટે પણ સુચના આપવામાં આવી છે. રાહદારી અને નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ ન બને એની તકેદારી જવાબદાર વિભાગ રાખે એમ જણાવી આ કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ કલેકટરએ સ્પષ્ટ કહ્યું હતું.

જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલએ નગરપાલિતાઓના તમામ ચીફ ઓફિસરોને આગામી ત્રણ દિવસમાં પાંચ હજાર રખડતાં ઢોર પકડવાની સ્પષ્ટ સૂચના આપતાં વિવિધ નગરપાલિકા વિસ્તારમાંથી પકડવામાં આવતા રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં રાખવામાં આવે એવી વ્યવસ્થા નક્કી કરવા માટે અને આ સમસ્યા ગંભીર હોઇ સત્વરે યોગ્ય પગલાં લેવા તાકીદ કરી હતી. કલેકટરના આદેશને પગલે અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં પાંચસો રખડતાં ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે કલેકટર વરુણકુમાર બરનવાલે આ બાબતને ગંભીર ગણી ઢોર પકડવાની કામગીરી અભિયાન રૂપે ઉપાડી આગામી ત્રણ દિવસમાં પાંચ હજાર કરતાં વધારે ઢોર પકડવા આદેશ આપ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code