1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરાખંડઃ- કોરોના સંક્રમિતોની જાન બચાવવા માટે 64 પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરશે
ઉત્તરાખંડઃ- કોરોના સંક્રમિતોની જાન બચાવવા માટે 64 પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરશે

ઉત્તરાખંડઃ- કોરોના સંક્રમિતોની જાન બચાવવા માટે 64 પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરશે

0
Social Share
  • ઉત્તરાખંડ પોલીસકર્મીઓની સરહાનીય કાર્ય
  • કોરોનાગ્રસ્તના જીવ બચાવવા પ્લાઝમા ડોનેટ કરશે

દિલ્હીઃ-સમગ્ર દેશ મોટી મહામારી સાને લડત આપી રહ્યો છે ત્યારે અનેક લોકો એકબીજાની જાન બચાવવા સેવાના કાર્યો કરી રહ્યા છે, આ શ્રેણીમાં પોલીસ કર્મીઓ પણ સતત ખડે પગે રહી જનતાની સેવામાં જોતરાઈ રહ્યા છે, ત્યારે હવે ઉત્તરાખંડમાં કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા પોલીસ જવાનો પ્લાઝ્મા ડોનેટ કરવાનું  પ્રશંસનીય પગલું ઙરવા જઈ રહ્યા છે.

આ બાબતે પોલીસ લાઇનમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન જિલ્લાના  64 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પ્લાઝ્મા દાન કરવાની ઈત્છા વ્યક્તિ કરી દર છે.

કોરોના મહામારી દરમિયાન, સમર્પણ અને દ્રઢતા સાથે પોતાની ફરજો નિભાવતા ઘણા પોલીસ કર્મચારીઓને પણ કોરોના સંક્રમિત થયા હતા. સારવાર બાદ, તેઓ સ્વસ્થ થયા અને પોતાની ફરજ પર પાછો ફર્યો. રવિવારે એસએસપી યોગેન્દ્રસિંહ રાવતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક સેમિનાર યોજ્યો હતો. આ દરમિયાન  તમામ પોલીસ કર્મીઓની તબિયતને લગતી માહિતી લેવામાં આવી હતી.

અધિકારીઓ અને કર્મચારીઓને કોવિડ -19 નું સંક્રમણ અટકાવવા એસ.ઓ.પી. મુજબ પોતાનો બચાવ કરતી વખતે તેમની ફરજો નિભાવવાની સૂચના આપવામાં આવી હતી. લોકોને મદદ કરવા માટે સ્વયંસેવકોને પ્લાઝ્મા દાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એસએસપી યોગેન્દ્રસિંહ રાવતે કહ્યું કે આ સમયે દૂન પોલીસના દરેક કોરોના યોદ્ધાઓ દરેક મોરચે જનતાને મદદ કરવા કટિબદ્ધ છે.

આ સેમિનારમાં ઉપસ્થિત 64 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પ્લાઝ્મા ડોનેટ કરવા માટે એન્ટિબોડી પરીક્ષણ કરવા સ્વેચ્છાએ સંમત થયા હતા. હવે આ 64મ પોસીલ અધિકારીઓ અને કર્મીઓ કોરોનાના દર્દીઓના જીવ બચાવવા માટે પ્લાઝમા ડોનેટ કરીને પોતાની કાર્યફરજ સહીત માનવતાની ફરજ પણ પુરી પાડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code