1. Home
  2. ગુજરાતી
  3. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પરાજ્યને લઈને કોંગ્રેસે શરુ કરી સમીક્ષા
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પરાજ્યને લઈને કોંગ્રેસે શરુ કરી સમીક્ષા

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પરાજ્યને લઈને કોંગ્રેસે શરુ કરી સમીક્ષા

0
Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં હવે વિધાનસભાના શિયાળુ સત્રને લઈને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા ડો.ચરણદાસ મહંતએ ચૂંટણીમાં હારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીના પરિણામોને લઈને હજુ સુધી વિશ્વાસ થતો નહીં અને અમે અસહજ છીએ. ચૂંટણીમાં કેવી રીતે પરાજય થયો તે સમજી શક્યા નથી. દરેકને હારવાનો અને સરકાર જવાનું દુખ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષના તમામ ધારાસભ્યો શિયાળુ સત્રના પહેલા દિવસે રાયપુર પહોંચ્યા હતા. દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠક ડૉ.ચરણદાસ મહંતના બંગલામાં થઈ હતી. આ બેઠકમાં પૂર્વ પરાજિત ધારાસભ્યો પણ સામેલ થયા હતા. જેમાં વિધાનસભા સત્ર માટે રણનીતિ બનાવવામાં આવી છે. અલગ-અલગ નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નારાયણપુરના ખેડૂતની આત્મહત્યાનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ દરમિયાન ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા પણ કરવામાં આવી છે અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે નેતાઓને હારના કારણો વિગતવાર સમજાવ્યા હતા.

બેઠક બાદ વિપક્ષના નેતા ડૉ.ચરણદાસ મહંતે કહ્યું કે અમે બધા માની નથી શકતા કે અમારી સરકાર હવે રહી નથી. અમે બધાએ આ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું, કારણ કે બધું અસ્વસ્થતા છે, સરળ નથી. કંઈક એવું બન્યું હશે જે આપણામાંથી કોઈ સમજી શક્યું નહીં. હું ખોટો શબ્દ વાપરતો હતો, તે સારી વાત નથી. પરંતુ અમારા ભાઈ ભૂપેશ બઘેલે ચૂંટણીની રણનીતિ વિશે ચર્ચા કરી છે. તે બધું અમને વિગતવાર સમજાવવામાં આવ્યું છે. તેથી એવું લાગે છે કે આપણા બધાની પીડા, હારવાની પીડા, સરકાર જતી રહેવાની પીડા અમુક અંશે સમાપ્ત થઈ ગઈ છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code