ગુજરાતમાં કોરોનાની અસર, તમામ આરોગ્ય કર્મચારી અને અધિકારીઓની રજાઓ રદ
- દેશમાં તથા રાજ્યમાં કોરોનાની લહેર
- ફરી વધી રહ્યા છે કેસ
- નોંધપાત્ર રીતે કેસ વધતા લોકોમાં ચિંતા
અમદાવાદ: દેશમાં તથા રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે જેને લઈને તંત્ર હવે વધારે સતર્ક બન્યું છે. સરકાર દ્વારા લોકોને સતર્ક અને સલામત રહેવાની અપીલ તો કરી દેવામાં આવી છે પણ સાથે આરોગ્ય કર્મચારીઓની તથા અધિકારીઓની પણ તમામ રજાઓને રદ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણને લઈને જે સમસ્યા સર્જાઈ હતી ત્યારે આરોગ્ય કર્મચારીઓએ કેવી રીતે ભૂમિકા ભજવી હતી તે વાતને લઈને તો સૌ કોઈ જાણકાર છે અને સમગ્ર દેશ તેમનો આભારી રહેશે. હાલ હવે ફરીવાર રાજ્યમાં કોરોનાવાયરસના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે અને લોકોને હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
કોરોનાવાયરસને લઈને અત્યારે સૌથી મહત્વની જાણકારી એ છે કે,તેમાં હવે પહેલા જેવી મોત થતી નથી, પણ બીજી તરફ તે પણ નથી ખબર કે કોરોનાવાયરસની લાંબા ગાળાની અસર શું છે. આ માટે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે અને સંક્રમિત થતા બચવાની પણ જરૂર છે.