Site icon Revoi.in

મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને ગંભીરતાથી લેવા પડશેઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ સામે સતત વધી રહેલા ગુના અને બળાત્કાર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે દેશ, સમાજ અને તમામ રાજ્ય સરકારોએ તેને ગંભીરતાથી લેવી પડશે. તેમજ મહિલાઓ પર અત્યાચાર કરનારા ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા આપવાની વાત કરી હતી.

સ્વતંત્રતા દિવસના અવસર પર મહિલા સુરક્ષા પર બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હું આજે લાલ કિલ્લા પરથી મારું દર્દ વ્યક્ત કરવા માંગુ છું. એક સમાજ તરીકે આપણે આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ પર થઈ રહેલા અત્યાચાર પ્રત્યે સામાન્ય જનતાના ગુસ્સા વિશે ગંભીરતાથી વિચારવું પડશે. હું આ ગુસ્સો અનુભવું છું. દેશ, સમાજ, આપણી રાજ્ય સરકારોએ આને ગંભીરતાથી લેવું પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની વહેલી તકે તપાસ થવી જોઈએ. સમાજમાં આત્મવિશ્વાસ જગાડવા માટે શક્ય તેટલી વહેલી તકે રાક્ષસી કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવી જરૂરી છે.

આ સાથે તેણે એમ પણ કહ્યું કે, જ્યારે મહિલાઓ પર અત્યાચાર (બળાત્કાર)ની ઘટનાઓ બને છે, ત્યારે તેની ખૂબ ચર્ચા થાય છે અને મીડિયામાં તેને આવરી લેવામાં આવે છે, પરંતુ જ્યારે આવી રાક્ષસી માનસિકતા ધરાવતા વ્યક્તિને સજા આપવામાં આવે છે ત્યારે તે સમાચારોમાં ક્યાંય જોવા મળતો નથી. તે આવતો નથી, એક ખૂણામાં પડેલો રહે છે. હવે સમયની જરૂરિયાત એ છે કે જે વ્યક્તિને સજા થાય છે તેના વિશે વ્યાપક ચર્ચા થવી જોઈએ, જેથી કરીને આવા પાપ કરનારાઓને એવો ડર પણ પેદા થાય કે આ પાપ કરવા બદલ તેમને ફાંસી આપવામાં આવે. મને લાગે છે કે આ ડર પેદા કરવો ખૂબ જ જરૂરી છે.

#CrimesAgainstWomen, #PMModiSpeaks, #WomenSafetyMatters, #TakeActionAgainstCrime, #GenderBasedViolence, #ProtectWomenRights, #ZeroToleranceForCrime, #WomenEmpowerment, #SafetyForAll, #ModiOnWomenSafety, #CrimeAgainstWomenWillNotBeTolerated