1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘોઘા-હજીરા રો-રો ફેરીનું સંચાલન નિયમિત કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સએ કરી માગ
ઘોઘા-હજીરા રો-રો ફેરીનું સંચાલન નિયમિત કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સએ કરી માગ

ઘોઘા-હજીરા રો-રો ફેરીનું સંચાલન નિયમિત કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સએ કરી માગ

0
Social Share

ભાવનગરઃ સી-પ્લેનની જેમ ઘોઘા-દહેજ,હજીરા વચ્ચેની રો-રો ફેરી સર્વિસને પણ ગ્રહણ લાગ્યું છે. જેમાં ઘોઘા-હજીરા વચ્ચે ડીજી સી કનેક્ટ કંપની દ્વારા રો-રો- ફેરી સર્વિસનું સંચાલન કરવામાં આવે છે. આ ફેરી સર્વિસને કારણે ભાવનગર અને સુરત વચ્ચે આવન-જાવન કરતા મુસાફરોને ખુબ જ સુવિધા રહે છે, જેના કારણે ખુબ જ સારો ટ્રાફિક પણ મળે છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જણાવાયું છે કે હાલમાં આ ફેરી સર્વિસ ટેકનિકલ કારણોસર બંધ છે અને દશેરા કે દિવાળી આસપાસ આ ફેરી સર્વિસ પૂન: કાર્યરત થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ભાવનગરના ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ સેવાને શરૂઆતમાં ખૂબજ સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. પણ પેસેન્જર શીપમાં વારંવાર ટેકનીકલ ખામી સર્જાવાને કારણે સેવા અનિયમિત બની ગઈ હતી. ત્યારબાદ ઘોઘા-હજીરા વચ્ચે પણ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ સેવાને પણ સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક લોકો સુરતમાં રહે છે. અને હીરા ઉદ્યોગને લીધે સુરત-ભાવનગર વચ્ચેની લોકોની આવન-જાવન પણ વધુ રહે છે. રો-રો ફેરી સર્વિસ લોકોને ખૂબજ અનુકૂળ આવી ગઈ હતી. પરંતું ઘણા સમયથી રો-રો ફેરી સર્વિસ બંધ પડી છે. જ્યારે પણ ટેકનિકલ કારણોસર આ રો-રો ફેરી સર્વિસ બંધ રહેવાની હોય ત્યારે ડીજી સી કનેક્ટ કંપની દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો તેના સંચાલનમાં નિયમિતતા જળવાઈ રહે અને મુસાફરોનો વિશ્વાસ પણ દ્રઢ બને. આ ઉપરાંત દિવાળી અને શ્રાવણ મહિનાની સાતમ-આઠમનાં તહેવારો દરમિયાન સુરત અને ભાવનગર વચ્ચે ખુબ જ ટ્રાફિક રહે છે તેવા સંજોગો એકના બદલે બે ફેરી સર્વિસનું સંચાલન કરવામાં આવે તો મુસાફરોને પણ સગવડતા રહે અને કંપનીને પણ સારી આવક પ્રાપ્ત થાય તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code