શું તમે જાણો છો આ એક જ એવી નદી છે જે ઉલટી દિશામાં વહે છે,જાણો તેના પાછળનું શું છે કારણ
ભારતની મોટાભાગની નદીઓ એક જ દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છબધી નદીઓનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે. પરંતુ દેશમાં એક એવી નદી છે જે ઉલટી વહેતી હોય છે. આપણા દેશમાં એક એવી નદી છે, જે પશ્ચિમથી પૂર્વ તરફ વહેવાને બદલે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. વિરુદ્ધ દિશામાં વહેતી એ નદીનું નામ નર્મદા છે. આ નદીનું બીજું નામ રીવા પણ છે.
જો કે ભારતની સૌથી મોટી નદી ગંગા અને દેશની અન્ય તમામ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીમાં મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશની એકમાત્ર નદી નર્મદા છે તે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં પડે છે. આ નદી ભારતના મધ્ય ભાગમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી મધ્ય પ્રદેશ અને ગુજરાતની મુખ્ય નદી છે, જે મૈખલ પર્વતના અમરકંટક શિખરમાંથી નીકળે છે.
નર્મદા નદીના ઉલટા પ્રવાહનું ભૌગોલિક કારણ રીફ્ટ વેલી છે. રિફ્ટ વેલીનો ઢોળાવ વિરુદ્ધ દિશામાં છે. આ કારણથી આ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને તે અરબી સમુદ્રમાં મળે છે. બધી નદીઓથી વિપરીત, નર્મદા નદીના ઉલટા વહેણ પાછળ પણ પુરાણોમાં ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે.
કહેવાય છે કે નર્મદાના લગ્ન સોનભદ્ર સાથે થવાના હતા, પરંતુ સોનભદ્ર નર્મદાની મિત્ર જુહિલાને પ્રેમ કરતા હતા. આનાથી ક્રોધિત થઈને નર્મદાએ જીવનભર કુંવારી રહીને વિરુદ્ધ દિશામાં વહેવાનું નક્કી કર્યું. જો આપણે ભૌગોલિક સ્થાન પર પણ નજર કરીએ તો ખબર પડે છે કે નર્મદા નદી સોનભદ્ર નદીથી એક ચોક્કસ બિંદુએ અલગ થાય છે. આજે પણ આ નદી અન્ય નદીઓથી વિરુદ્ધ દિશામાં વહે છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી.
઼