1. Home
  2. ગુજરાતી
  3.  શું ગરમીના કારણે તમારા પગના તળીયામાં બળતરા થાય છે? તો જોઈલો આ ઘરેલું ઉપચાર મળશે ઠંડક
 શું ગરમીના કારણે તમારા પગના તળીયામાં બળતરા થાય છે? તો જોઈલો આ ઘરેલું ઉપચાર મળશે ઠંડક

 શું ગરમીના કારણે તમારા પગના તળીયામાં બળતરા થાય છે? તો જોઈલો આ ઘરેલું ઉપચાર મળશે ઠંડક

0
Social Share
  •  ગરમીમાં રોજ રાત્રે દિવેસ અને કાંચાની વાટકીથી પગમાં માલિશ કરવું
  • દરરોજ રાતે સુતા વખતે પગના તળીયા પર એલોવેરા જેલ ઘસવું

ઉનાળો અટલે ગરમીને લગતી તમામ સમસ્યાઓનું વેલકમ, સૌ કોઈને ગરમીના કારણે જૂદી જૂદી ફરીયાદો રહે છે, ખાસ કરીને જે લોકો ઉનાળાના તાપમાં બહાર ફરતા હોય છે તેઓને પગના તળીમાં બળતરા થવાની ફરીયાદ હોય છે, જો કે આવા લોકોએ ઘરે રોજ રાત્રે છોડાક ઉપચાર કરવા જોઈએ જેથી પગના તળીયામાં ઠંડક મળશે, તો ચાલો જોઈએ તળીયાની બળતરા દૂર કરવા માટે શું કરવું જોઈએ

જો તમને પગના કળીમાં ખૂબ બળતરા થવાની સમસ્યા છે તો રોજ રાતે દિવેલ વડે પગના તળીયામાં 10 મિનિટ માલિશ કરવનુંસ અને આ માલિશ કાંસાની વાટકી વડે કરવું કારણ કે કાસાથી બળતરા દૂર થાય છે.

આ સાથે જ અશ્વગંઘા પણ બેસ્ટ ઓપ્શન ગણવામાં આવે છે, આ એક એવી ઔષધિ છે, જેનો અનેક બિમારીઓ દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.અશ્વગંધાથી મસ્તિષ્ક સુધી જતી નસોની તાકાતમાં સુધારો થાય છે. જેના કારણે પગમાં થતી બળતરાને દૂર કરી શકાય છે.

કારેલાનું સેવન કરવાથી પણ પગના તળીયાની બળતરા દૂર થાય છે. કારેલાથી પગની બળતરા સહિત અનેક સમસ્યાને દૂર કરી શકાય છે. કારેલાનું શાક અથવા જ્યૂસ બનાવીને તેનું સેવન કરી શકાય છે. જેના કારણે પેપ્ટાઈડ્સ પર અસર થાય છે અને પગની તંત્રિકાના કાર્યમાં સુધારો થાય છે. આ કારણોસર પગમાં થતી બળતરાની સમસ્યાથી રાહત થાય છે.

સરસીયાનું તેલ પણ એક આપ્શન છે, જે પગના તળીયાની બળતરા માંથી છુટકારો આપે છે. ૧ વાટકીમાં લગભગ ૨ ચમચી સરસીયાનું તેલ લો. હવે તેમાં ૨ ચમચી ઠંડુ પાણી કે ૧ બરફનો ટુકડો નાખો અને માલીશ કરો. અઠવાડિયામાં બે વખત આમ કરવાથી રાહત મળે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code