1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચૈત્રી નવરાત્રીના લીધે અંબાજી મંદિરના દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર
ચૈત્રી નવરાત્રીના લીધે અંબાજી મંદિરના દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર

ચૈત્રી નવરાત્રીના લીધે અંબાજી મંદિરના દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર

0
Social Share

અમદાવાદઃ 09 એપ્રીલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓ ને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 09 એપ્રીલને ચૈત્રી નવરાત્રીથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે

સવારે આરતીઃ- 07.00 થી 07.30

ઘટ સ્થાપન સવારે – 9.15 થી 9.45

સવારે દર્શનઃ- 07.30 થી 11.30

બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી

સાંજ ની આરતીઃ- 19.00 થી 19.30

જ્યારે સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે

ચૈત્ર સુદ આઠમ તારીખ 16 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે

ચૈત્રી પુનમ તારીખ 23 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે

જોકે આમતો વર્ષ દરમીયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રીની મહત્વ હોય છે. ને આ વસંતીય ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજીમાં યાત્રીકોની ભારે ભીડ રહેતી હોય છે. જેમાં લોકો પણ માતાજી નાં દર્શને ખાસ પધારી આરતી નો લ્હાવો લેતા હોય છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અંબાજી ઉપરાંત પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવશે. પાવાગઢમાં પણ ચૈત્રી નવરાત્રિને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી અને પાવાગઢમાં શ્રદ્ધાળુઓની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ પર્વમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે તેવી શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code