1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડના યમુનોત્રીમાં ઘન કચરાના નિકાલ માટે અસરકારક પહેલ
ઉત્તરાખંડના યમુનોત્રીમાં ઘન કચરાના નિકાલ માટે અસરકારક પહેલ

ઉત્તરાખંડના યમુનોત્રીમાં ઘન કચરાના નિકાલ માટે અસરકારક પહેલ

0
Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના યમુનોત્રીમાં જાનકીચટ્ટી ખાતે નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ઘન કચરાના સુરક્ષિત નિકાલ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. આધુનિક પ્લાઝ્મા ટેક્નોલોજીથી સજ્જ આ પ્લાન્ટમાં યાત્રાની શરૂઆતથી જ નિયમિતપણે કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ એક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે.

વાસ્તવમાં, યમુનોત્રી ધામ અને જાનકીચટ્ટી સહિત આસપાસના વિસ્તારોમાં યાત્રા દરમિયાન મોટી માત્રામાં પ્લાસ્ટિક અને અન્ય પ્રકારનો ઘન કચરો એકઠો થાય છે. આ કચરાનો સુરક્ષિત નિકાલ પ્રશાસન માટે પડકાર સમાન છે. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ યોજના હેઠળ જાનકીચટ્ટીમાં રૂ. 2 કરોડ 36 લાખના ખર્ચે ઘન કચરા વ્યવસ્થાપન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્લાઝ્મા ટેક્નોલોજી દ્વારા આ પ્લાન્ટ દરરોજ એક ટન કચરાનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પ્લાન્ટની અંદર જ કચરાના નિકાલમાંથી નીકળતો ગેસ અને પ્લાન્ટની ચીમનીમાંથી નીકળતો ધુમાડો ખૂબ આછો, સફેદ રંગનો અને હાનિકારક વાયુઓથી મુક્ત હોય છે. આ પ્લાન્ટ દરરોજ 8  કલાક ચાલે ત્યારે અંદાજે એક ટન કચરાનો નિકાલ થાય છે. આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ યાત્રાના પ્રારંભથી જ જિલ્લા પંચાયત દ્વારા તેને નિયમિત રીતે ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code