1. Home
  2. ગુજરાતી
  3. Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે
Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે

Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે

0
Social Share

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ભારતીય સ્ટેટ બેંકને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન એસબીઆઈની અરજી ફગાવી અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 12 માર્ચ, 2024 સુધીમાં તેમને બેંક તરફથી ડિટેલ આપવામાં નહીં આવે, તો દેશની સૌથી મોટી કોર્ટ તેની વિરુદ્ધ અનાદરનો કેસ ચલાવશે.

સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યુ છે કે એસબીઆઈએ કહ્યુ કે કેશ કરાવનારાઓની જાણકારી પણ અલગથી રાખી છે. બંનેને મિલાવવા કઠિન છે. 22 હજારથી વધુ ચૂંટણી બોન્ડ 2019થી 2024 વચ્ચે ખરીદવામાં આવ્યા છે. 2 સેટ્સમાં આંકડા હોવાને કારણે કુલ આંકડો 44 હજારથી વધુ છે. તેવામાં તેના મિલાનમાં સમય લાગશે. અમે એસબીઆઈની અરજીને નામંજૂર કરી રહ્યા છીએ. 12 માર્ચ સુધીમાં આંકડો આપી દો, જ્યારે ચૂંટણી પંચ 15 માર્ચ, 2024 સુધીમાં તેને પ્રકાશિત કરે. અમે હાલ એસબીઆઈ પર અનાદરની કાર્યવાહી  કરી રહ્યા નથી. પરંતુ હવે પાલન નહીં કરવામાં આવે, તો અવમાનનાનો કેસ ચાલશે.

સુનાવણી દરમિયાન એસબીઆઈને કહેવામાં આવેલી મોટી વાત

બેંક તરફથી અત્યાર સુધી શું-શું કરવામાં આવ્યું ?

26 દિવસોમાં પોતાના આંકડા આપવા માટે શું પગલા ભર્યા?

તમારી પાસે સીલબંધ કવર છે, તેને ખોલો અને આંકડા આપો.

અમે બેંકમાંથી કોઈ દસ્તાવેજ બનાવવા માટે કહ્યું નથી

15 ફેબ્રુઆરી, 2024ના આદેશ પર અત્યાર સુધી શું થયું ?

શું હતો મામલો?

આ આખી ઘટના ત્યારની છે, જ્યારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈની એક અરજી પર સુનાવણી થઈ. બેંક તરફથી આ અરજીમાં રાજકીય પક્ષો તરફથી વટાવાયેલા દરેક ચૂંટણી બોન્ડની ડિટેલનો ખુલાસો કરવા માટેની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

માંગવામાં આવેલી ડિટેલ્સ શું હતી?

દેશની સૌથી મોટી કોર્ટે 15 ફેબ્રુઆરી, 2024ના રોજ ઐતિહાસિક ચુકાદામાં ચૂંટણી બોન્ડ સ્કીમને રદ્દ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન ચૂંટણી બોન્ડ્સને ગેરબંધારણીય ગણાવતા ચૂંટણી પંચને ફંડ આપનારા, ફંડ તરીકે આપવામાં આવેલી રકમ અને પ્રાપ્તકર્તાઓનો 13 માર્ચ સુધીમાં ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code