1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળતાં જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ,એરપોર્ટ પર એનએસજીની ટીમ તપાસમાં લાગી 
ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળતાં જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ,એરપોર્ટ પર એનએસજીની ટીમ તપાસમાં લાગી 

ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળતાં જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ,એરપોર્ટ પર એનએસજીની ટીમ તપાસમાં લાગી 

0
Social Share

જામનગર:મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં હોબાળો મચી ગયો હતો, જેના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું છે.જણાવવામાં આવી રહ્યું છે કે ATCને બોમ્બ ધરાવતો મેલ મળ્યો હતો, તે મેલથી બધા હાઈ એલર્ટ પર આવ્યા અને તરત જ પાયલટને જાણ કરવામાં આવી. જે બાદ ગોવા જઈ રહેલા પ્લેનને તાત્કાલિક ગુજરાતના જામનગર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ સ્થાનિક એજન્સીઓના અધિકારીઓએ તમામ મુસાફરો અને તેમના સામાનની તપાસ કરી હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરો પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢીને એરપોર્ટના લોન્જમાં બેસાડવામાં આવ્યા છે.તપાસ માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે NSGની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. એનએસજીની ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

એનએસજીની વધુ એક ટીમ દિલ્હીથી જામનગર એરપોર્ટ પર મોકલવામાં આવી હોવાની માહિતી પણ મળી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટની સંપૂર્ણ તપાસ કર્યા પછી, જ્યારે NSG ટીમ ક્લિયરન્સ આપશે, ત્યારે જ આ વિમાનને ગોવા મોકલવામાં આવશે. વિમાનમાં 236 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા.તમામ મુસાફરોને એરપોર્ટની મુખ્ય બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમના ખાવા-પીવા અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તેની તકેદારી રાખી રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code