Site icon Revoi.in

માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળરૂપે એન્જિનિયર જવાબદાર: નીતિન ગડકરી

Social Share

નીતિન ગડકરીએ ફરી એકવાર માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કર્યો
દુર્ઘટનાઓ માટે સિવિલ એન્જિનિયર જવાબદાર: નીતિન ગડકરી
સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સભાને સંબોધિત કરતી વખતે ફરી એકવાર માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કર્યો. આ અંગે વાત કરતાં કહ્યું, ‘આ આપણા માટે સારું નથી કે ભારતમાં આપણે માર્ગ અકસ્માતો સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. દર વર્ષે 4,80,000 માર્ગ અકસ્માતો અને 1,80,000 મૃત્યુ થાય છે, જે કદાચ વિશ્વમાં સૌથી વધુ છે. આમાંના 66.4% મૃત્યુ 18થી 45 વર્ષની વય જૂથના લોકોના છે.

દુર્ઘટનાઓ માટે સિવિલ એન્જિનિયર જવાબદાર
ગડકરીએ કહ્યું, એન્જિનિયરો, અને ડૉક્ટરો સૌથી અગત્યનું, પ્રતિભાશાળી યુવાનોની ખોટ આપણા દેશ માટે એક મોટી ખોટ છે. તમામ દુર્ઘટનાઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ દોષી સિવિલ એન્જિનિયર છે. હું દરેકને દોષ નથી આપતો, પણ 10 વર્ષના અનુભવ પછી, હું આ નિષ્કર્ષ પર આવ્યો છું કે સૌથી વધુ ગુનેગાર તે લોકો છે જેઓ ડીપીઆર (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવે છે, તેમાં જ હજારો ખામીઓ હોય છે, હજારો પ્રોજેક્ટમાં ભૂલ થઇ રહી છે.’

સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂર
એ માર્ગ બાંધકામ ઉદ્યોગને નવી ટેકનીકો અને રિસાયકલ કરી શકાય તેવી બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટેની વ્યૂહરચના વિકસાવવા કહ્યું હતું.

આ મામલે નીતિન ગડકરીએ કહ્યું, ‘ભારતમાં રસ્તાઓ પર સાઇનપોસ્ટ અને માર્કિંગ સિસ્ટમ જેવી નાની વસ્તુઓ પણ ખૂબ જ ખરાબ છે. આપણે સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂર છે. ભારતમાં સૌથી ખરાબ ગુણવત્તાવાળા ડીપીઆર બનાવવામાં આવે છે. માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળભૂત રીતે એન્જિનિયરો જવાબદાર છે. તેથી, મુખ્ય સમસ્યા રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન અને ખામીયુક્ત ડીપીઆર છે.’