વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બહેરીનમાં રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 07 જુલાઈ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બહેરીનમાં રાજા હમાદ બિન ઇસા અલ ખલીફાને મળ્યા. બંને નેતાઓએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. ડૉ. જયશંકર ચાર ખાડી દેશોની તેમની મુલાકાતના બીજા તબક્કા દરમિયાન કતારથી બહેરીન પહોંચ્યા. આ પ્રવાસમાં કુવૈત અને ઓમાનની મુલાકાતોનો પણ સમાવેશ થાય છે.
વિદેશ મંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સુધી પહોંચાડ્યા. બહેરીનમાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા બદલ ડૉ. જયશંકરે તેમનો આભાર માન્યો.
જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી. તેમની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા અને પ્રાદેશિક વિકાસ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે ચારેય ખાડી દેશોના તેમના સમકક્ષો અને ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
વધુ વાંચો: ચીનના હુબેઈ પ્રાંતમાં વાવાઝોડાને કારણે આઠ લોકોના મોત


