1. Home
  2. ગુજરાતી
  3. ફરહાખાનના પતિ શિરીષ કુદંર સામે નોંધાઈ ફરીયાદ – યુપીના સીએમ યોગી પર અભદ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
ફરહાખાનના પતિ શિરીષ કુદંર સામે નોંધાઈ ફરીયાદ – યુપીના સીએમ યોગી પર અભદ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો

ફરહાખાનના પતિ શિરીષ કુદંર સામે નોંધાઈ ફરીયાદ – યુપીના સીએમ યોગી પર અભદ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો

0
Social Share
  • ફરહાખાનના પતિ સામે નોંઘાઈ ફરીયાદ
  • સીએમ યોગી પર કરી હતી કોમેન્ટ

મુંબઈઃ- બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર એવા ફરહાખાનના પતિ  શિરીષ કુદંર ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એન છે કે તેમના સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જો કે મહત્વની વાત એ છે કે તેઓ 5 વર્ષ પહેલા આપેલા નિવેદનના કારણે હવે મુશ્કેલીમાં મૂકાયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે શિરીષ કુંદર પોતાના નિવેદનના કારણે વિવાદમાં આવ્યા છે. લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આ મમાલો છો.

આ ફરીયાદ અમિત તિવારી નામના વ્યક્તિએ કરી છે. શિરીષ કુંદર લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ આ વખતે તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિરીષના નિવેદનના પાંચ વર્ષ બાદ જ્યારે આ મામલાની અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે કોર્ટે લખનૌ પોલીસને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે શિરીષ કુંદર એક ભારતીય ફિલ્મ નિર્માતા છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code