1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં સાતથી વધુ દુકાનોમાં લાગી આગ, લાખોનું અનાજ બળીને ખાક
પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં સાતથી વધુ દુકાનોમાં લાગી આગ, લાખોનું અનાજ બળીને ખાક

પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં સાતથી વધુ દુકાનોમાં લાગી આગ, લાખોનું અનાજ બળીને ખાક

0
Social Share

પાલનપુરઃ શહેરના નવા માર્કેટયાર્ડમાં એક દુકાનમાં એકાએક આગ લાગ્યા બાદ જોતજોતામાં આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ હતી. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાક થઇ ગઇ હતી. ભીષણ આગને લીધે લાખોનું અનાજ બળીને ખાક થઇ ગયું છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. માર્કેટયાર્ડની G લાઈનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાતથી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી. જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાક થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરોએ દાડી જઈને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે. આ આગમાં જે ત્રણ દુકાનો બળીને ખાક થઇ ગઇ એમાં લાખોનું અનાજ બળીને ખાક થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય અનિકેત ઠાકર વિધાનસભાનું સત્ર છોડી પાલનપુર દોડી આવ્યા હતા.

પાલનપુરના નવા માર્કેટયાર્ડમાં લાગેલી દુકાનોમાં આગ પર કાબૂ મેળવવા માટે પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર તેમજ બનાસ ડેરી સહિતના સાત જેટલા ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. આગની ઘટનાની જાણ જતાં જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલેક્ટર વરુણ બારણવાલે જણાવ્યું હતું કે, આગ કાબૂમાં આવી ગઇ છે. રાયડો, દીવેલા સહિત બારદાન સળગવાના લીધે હજી થોડી અસર છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code