1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર નજીક રાંધેજા પાસે કારને નડ્યો અકસ્માત, પાંચના મોત
ગાંધીનગર નજીક રાંધેજા પાસે કારને નડ્યો અકસ્માત, પાંચના મોત

ગાંધીનગર નજીક રાંધેજા પાસે કારને નડ્યો અકસ્માત, પાંચના મોત

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના તહેવારોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજ્યની રાજધાની ગાંધીનગર નજીક રાંધેજા પાસે પૂરઝડપે પસાર થતી કારને સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ માણસાના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર ગાંધીનગરના રાંધેજા-પેથાપુર હાઈવે પરથી મોટરકાર પૂરઝડપે પસાર થતી હતી. આ મોટરકાર રાંધેજા પાસેથી પસાર થતી હતી ત્યારે મોટરકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમવતા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ધકાડા ભેર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે કારમાં સવાર છ વ્યક્તિઓની મરણચીસોથી ગમગીની ફેલાઈ હતી. આ અકસ્માત મોડી રાતે સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મહોમ્મદ અલ્ફાઝ ઉર્ફે સુજલ સાબીરભાઈ બેલીમ, સલમાન કાસમ ચૌહાણ, અસ્ફાક શબ્બીરભાઈ ચૌહાણ, મોહમ્મદ સાજેબ સલીમભાઈ બેલીમ અને સાહિલ નસીરુદ્દીન ચૌહાણનું મોત થયાનું જાણવા મળે છે. તેમજ આ તમામ યુવાનો એક જ પરિવારના હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં ઘાયલ થયેલી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code