1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના નાનારણમાંથી ઘુડસર પહોંચ્યા મુળીના સરલા ગામે, રવિપાકને નુકસાન પહોંચાડતા ખેડુતો ચિંતિત
કચ્છના નાનારણમાંથી ઘુડસર પહોંચ્યા મુળીના સરલા ગામે, રવિપાકને નુકસાન પહોંચાડતા ખેડુતો ચિંતિત

કચ્છના નાનારણમાંથી ઘુડસર પહોંચ્યા મુળીના સરલા ગામે, રવિપાકને નુકસાન પહોંચાડતા ખેડુતો ચિંતિત

0
Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં કચ્છના નાનારણ તરીકે ઓળખાતા પાટડી ઘુડખર અભયારણ્યમાંથી ઘુડખર છેક મુળી તાલુકાનાં ગામોમાં આવી પહોંચ્યા છે. સરલા ગામની સીમમાં મોટી સંખ્યામાં ઘુડખર (ખચ્ચર) જોવા મળ્યા હતા. આ ઘુડખરો ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુકસાન કરતાં હોય છે. અને આ પ્રાણી આરક્ષિત હોય એટલે ખેડૂતો કશું કરી શકતા નથી. આ અંગે ખેડુતોએ વન વિભાગને જાણ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છના નાનારણ તરીકે ઓળખાતાં પાટડીના ઘુડસર અભ્યારણ્યમાં અનેક ઘુડસરો વસવાટ કરી રહ્યા છે. ઘુડસરનો રક્ષિત પ્રાણીમાં સમાવેશ થયા છે. ઘુડસરને નિહાળવા માટે રણ વિસ્તારમાં વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે. હાલ ઠંડીની સીઝનમાં ઘુડસરો છેક મુળીના સરલા ગામ સુધી પહોંચી ગયા છે. અને રવિ સીઝનમાં ઊભા પાકને ઘુડસરો નુકશાન પહોંચાડી રહ્યા છે. આ વિસ્તારના ખેડુતોએ હાલ વન વિભાગને જાણ કરી છે. ઘુડખરોને તેની મુળ જ્ગ્યાએ વન વિભાગ દ્વારા લઈ જવાંમાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. ખેડૂતો ઘુડખરને ગામઠી ભાષામાં ખચ્ચર ગધેડાથી ઓળખતા હોય છે. અને આ ટોળાં ઉભાં પાકમાં મોટું નુક્સાન કરતાં હોય છે. ત્યારે આ ઘુડખર અભયારણ્ય પાટડી અને ધાંગધ્રા તાલુકાનાં છેવાડાના રણ વિસ્તારમાં છે. વન વિભાગ દ્વારા  તાત્કાલિક ધોરણે મુળી તાલુકાનાં ગામોમાંથી ઘુડસરોને અભ્યારણ્યમાં લઇ જવાં જોઈએ તેવી ખેડુતોમાં માગ ઊભી થઈ છે. ઘુડખર અહી રહેશે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘૂડસરોનો તેના અભ્યારણ્યમાં વસવાટ રહેતો હોય છે. ઘણીવાર ખોરાકની શોધમાં રેવન્યું વિસ્તારોમાં પણ આવી જતાં હોય છે. ઘૂડસરોને ખદેડીને ફરી અભ્યારણ્યમાં લઈ જવાશે. ખેડુતોની ફરિયાદો વિભાગને મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code