1. Home
  2. ગુજરાતી
  3. કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને આપ્યો મોટો ઝટકો
કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને આપ્યો મોટો ઝટકો

કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને આપ્યો મોટો ઝટકો

0
Social Share

દિલ્હી:કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે.કેનેડાની સરકારે વિદેશીઓ દ્વારા મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.આવાસની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ ઘરો આપવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેનું સૌથી મોટું નુકસાન ભારતીયોને થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને પંજાબીઓ કેનેડામાં સ્થાયી થયા છે.

આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2023થી લાગુ થઈ ગયો છે.સરકારે નોન-કેનેડિયન એક્ટ દ્વારા રહેણાંક મિલકતની ખરીદી પર પ્રતિબંધ લાદ્યો છે.જોકે, કાયદામાં કેટલાક અપવાદો છે.કેનેડા સરકારે સ્પષ્ટતા કરી છે કે,આ પ્રતિબંધો માત્ર શહેરના રહેઠાણો પર જ લાગુ થશે.આ પ્રતિબંધ ઉનાળાના કોટેજ જેવી મિલકતોને લાગુ પડશે નહીં.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 2021ના ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોની સુવિધા માટે મિલકતને લઈને આ પ્રસ્તાવ મૂક્યો હતો.કેનેડામાં વસવાટની વધતી કિંમતે ઘર ખરીદવું ઘણા લોકોની પહોંચની બહાર કરી દીધું છે.

સ્થાનિક લોકોને વધુ મકાનો ઉપલબ્ધ કરાવવા માટે રહેણાંક મિલકતો ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.કેનેડામાં ઘર ખરીદનારાઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.નફાખોરો પણ પ્રોપર્ટીના ખરીદ-વેચાણમાં રોકાયેલા હતા.કેનેડામાં ઘરોએ ઘણા વિદેશી રોકાણકારોને આકર્ષ્યા છે.ખાલી ઘરો, આસમાનને આંબી જતા ભાવો પણ એક વાસ્તવિક સમસ્યા છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘર લોકો માટે છે રોકાણકારો માટે નહીં.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code