1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતીઓમાં શેર બજારનો વધતો ક્રેઝ, એક દાયકામાં રોકાણકારોની સંખ્યામાં ત્રણગણો વધારો
ગુજરાતીઓમાં શેર બજારનો વધતો ક્રેઝ, એક દાયકામાં રોકાણકારોની સંખ્યામાં ત્રણગણો વધારો

ગુજરાતીઓમાં શેર બજારનો વધતો ક્રેઝ, એક દાયકામાં રોકાણકારોની સંખ્યામાં ત્રણગણો વધારો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના લોકોનું શેર બજારમાં રોકાણ વધતું જાય છે. અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતીઓનું શેર બજારમાં રોકાણ વધુ હોય છે. આમે ય ગુજરાતીઓ સાહસિક ગણાય છે. અને પોતાની કોઠા સુઝથી શેર ખરીદીને વધુ નફો મેળવી લેતા હોય છે.શેરબજારમાં તગડા નફા તથા બચતની અનિવાર્યતા પ્રત્યે વધેલી જાગૃતિને પગલે ગુજરાતમાં રોકાણકારોની સંખ્યામાં મોટો વધારો થવા લાગ્યો છે. છેલ્લા એક દાયકામાં શેરબજારમાં રોકાણ કરતાં ઈન્વેસ્ટરોની સંખ્યા ત્રણ ગણી થઈ છે.

નેશનલ સ્ટોક એકસચેંજના રિપોર્ટ પ્રમાણે નાણાંકીય વર્ષ 2022-23 માં ગુજરાતનાં ઈન્વેસ્ટરોની સંખ્યા 69 લાખ પર પહોંચી છે. જે 2013 ની સરખામણીએ 2.8 ગણી વધુ છે. કોરોનાકાળ બાદ ઈન્વેસ્ટરોએ મોટી સંખ્યામાં શેરબજારમાં ઝંપલાવ્યુ હોય તેમ એપ્રિલ 2020 પછી જ 60 ટકા ઈન્વેસ્ટરો વધ્યા છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે બેંકોના નીચા વ્યાજદર, ઈન્વેસ્ટરોમાં વધતી જાગૃતિ-શેરબજારમાં સારા નફા જેવા કારણોએ ભાગ ભજવ્યો છે. માત્ર મહાનગરો જ નહીં પાણ નાના શહેરો અને ગામડાંના લોકો પણ હવે શેર બજારમાં રોકાણ કરવા તરફ વળી રહ્યા છે. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે બેંક વ્યાજદર છેલ્લા કેટલાંક મહિનાથી ઉંચા ગયા છે અન્યથા સાવ નીચા જ હતા.યોગ્ય અને આકર્ષક વળતર મેળવવા ઈન્વેસ્ટરોનો શેરબજાર તરફ વધેલા રસ પાછળનું આ એક મોટુ મુખ્ય કારણ છે. આ સિવાય લોકોનું શેરબજાર-નાણા માર્કેટ વિશેનું જ્ઞાન પણ વધ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ યુવા વર્ગ રોકાણ કરતા પૂર્વે રીસર્ચ કરવા લાગ્યા છે. ડીમેટ ખાતાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. રાતોરાત ધનવાન થવાને બદલે લાંબા ગાળાનાં રોકાણ તરફનો ક્રેઝ પણ વધ્યો છે ભારતમાં પાન ખાતાઓનાં ધોરણે 7.52 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટર હોવાનું ઉલ્લેખનીય છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code