1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત કોંગ્રેસે દ્વારા 1લી મેને સોમવારથી તમામ તાલુકા-જિલ્લા મથકોએ જનમંચ કાર્યક્રમ યોજાશે
ગુજરાત કોંગ્રેસે દ્વારા 1લી મેને સોમવારથી તમામ તાલુકા-જિલ્લા મથકોએ જનમંચ કાર્યક્રમ યોજાશે

ગુજરાત કોંગ્રેસે દ્વારા 1લી મેને સોમવારથી તમામ તાલુકા-જિલ્લા મથકોએ જનમંચ કાર્યક્રમ યોજાશે

0
Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ભાજપે તો ચૂંટણીની તૈયારીઓ ક્યારની યે શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસે પણ 1લી મેથી તૈયારીઓ શરૂ કરી રહી છે.  કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપના દિન-1લી મેથી સમગ્ર રાજયમાં તાલુકે તાલુકે ‘જનમંચ’ કાર્યક્રમની શરૂઆત કરશે એવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકારે કરી છે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, પીડિતો, વંચિતો, શોષિતોને પોતાની વાત, સમસ્યા અને પ્રશ્નો સહિત કોઈપણ ફરિયાદના અવાજને બુલંદ કરવા, મંચ આપવાનું ‘જનમંચ’ પ્લેટફોર્મ બનશે તેવો તેમણે  વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ‘જનમંચ’ કાર્યક્રમ થકી લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે જનસભાથી વિધાનસભા સુધીની લડાઈ લડવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકાર અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સંયુકત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જિનની સરકાર ઉત્સવો, મહોત્સવો, રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત આ સરકાર છે. સરકાર પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ, ફરિયાદોને સાંભળવાનો સમય નથી ન તો ઈચ્છા છે વગદાર લોકોની, વગદારો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળુ નથી.

પ્રદેશ કોંગ્રેસ  પ્રમુખ જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, જનમંચ કાર્યક્રમ દ્વારા આવેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે કોઈપણ પ્રકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ કટીબદ્ધ છે. સામાન્ય ગુજરાતી જે ટેકસ ભરે છે, મત આપે છે સામે સુવિધા, વિકાસ, ન્યાય મેળવવો તેનો અધિકાર છે. એક એક ગુજરાતી જનમંચ ઉપર આવી પોતાની વાત-ફરિયાદ, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરી શકશે અને તેને બુલંદ અવાજે ‘જનસભાથી વિધાનસભા સુધી’ પહોંચાડીને લડાઈ લડશે. કોંગી નેતાઓએ જનમંચ કાર્યક્રમ દ્વારા યુવાનોને વર્તમાન સમસ્યાઓ જેવી કે યુવાનોને મોંઘુ શિક્ષણ લીધા પછી નોકરી મળતી નથી. ફિકસ પગાર-કોન્ટ્રાકટ આઉટ સોર્સિંગમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. સરકારી ભરતીમાં પેપર ફૂટે છે સહિતના પ્રશ્નો ઉજાગર કરવા આહવાન કર્યુ છે.કોંગ્રેસ જનમંચ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને મળી તેમના પ્રશ્નો, સમસ્યાઓ, રજૂઆતો, ફરિયાદો અને સૂચનો મેળવશે. આ પ્રશ્નોને કોંગ્રેસ ગુજરાત સરકાર સમક્ષ ઉઠાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code