ગુજરાતઃ રાત્રિ કરફ્યુમાં રેલવેના પ્રવાસીઓને અપાઈ મુક્તિ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સહિત 10 શહેરોમાં રાત્રિ કરફ્યુનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં રાત્રિના સમયે કરફ્યુનો ભંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જો કે, રાત્રિના સમયે અમદાવાદ સહિત દસેય શહેરમાં ટ્રેનમાં આવતા પ્રવાસીઓને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, આ પ્રવાસીઓએ પોતાની પાસે રેલવેની ટીકીટ રાખવી જરૂરી રહેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, નાઈટ કફર્યું દરમિયાન માન્ય ટિકિટ ધરાવતા રેલવે મુસાફરોને સ્ટેશન પર જવાની છૂટ છે. આ ઉપરાંત બહારથી ટ્રેનમાં આવતા પ્રવાસીઓને પણ મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન રેલવે તંત્ર મુસાફરોને માસ્ક પહેરવા, સામાજીક અંતર રાખવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરીમાં વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને કોવીડના તમામ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે. સ્ટેશન પર બિનજરૂરી ભીડ ન રાખો, પર્યાપ્ત અંતર જાળવા પ્રવાસીઓને સુચના આપવામાં આવી છે. આમ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ દસેય શહેરોમાં રાત્રિ કરફ્યુમાં રેલવેના પ્રવાસીઓને મુક્તિ આપવામાં આવી છે. તેમજ તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે નહીં.
(PHOTO-FILE)