Site icon Revoi.in

ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત, પંજાબમાં 20 લાખ લોકો પ્રભાવિત

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પંજાબમાં પૂરની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં 2000થી વધુ ગામો અસરગ્રસ્ત થયા છે અને 20 લાખથી વધુ લોકો પર તેની અસર પડી છે. હાલમાં સતલુજ નદી પરના ડેમનું સમારકામ ચાલી રહ્યું છે, જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય.

આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનિત સિંહે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને પત્ર લખીને પંજાબને શક્ય તમામ મદદ કરવા અપીલ કરી છે.

છેલ્લા કેટલાક દિવસોના ભારે વરસાદ બાદ હવે દિલ્હીમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીથી લોકોને મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડીને ભોજન અને મેડિકલ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. યમુના નદીનું જળસ્તર પણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે.

રાજસ્થાનના દૌસા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્ય વર્ધન સિંહે ખેતીના પાકને થયેલા નુકસાનનું વળતર આપવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 16 ડેમ અને 650 શાળાઓના સમારકામ માટે ₹16 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના 9 જિલ્લામાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં વરસાદની તીવ્રતા ઘટશે, જેનાથી લોકોને થોડી રાહત મળશે.