1. Home
  2. ગુજરાતી
  3. આધ્યાત્મિકતા અને સાઈન્સના વિશ્વાસ સાથે જોડાયેલી આ કેટલીક જાણવા જેવી બાબતો
આધ્યાત્મિકતા અને સાઈન્સના વિશ્વાસ સાથે જોડાયેલી આ કેટલીક જાણવા જેવી બાબતો

આધ્યાત્મિકતા અને સાઈન્સના વિશ્વાસ સાથે જોડાયેલી આ કેટલીક જાણવા જેવી બાબતો

0
Social Share

વિશઅવભરમાં કોઈ સાયન્સને બેસ્ટ કહે છે તો કોઈ ઘર્મને.જ્યાં વિજ્ઞાન તથ્યો અને તર્કમાં માને છે, ત્યાં ધર્મ લોકોને વાર્તાઓ અને માન્યતાઓથી જોડે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે માનવીએ કયા વિજ્ઞાન કે ધર્મ પર વધુ વિશ્વાસ કરવો જોઈએ? જો કે આ મામલે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો

અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોની દલીલો ધાર્મિક માન્યતાઓ કરતાં વધુ અસરકારક છે. આ અભ્યાસ એમ્સ્ટરડેમ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં યુનિવર્સિટીના સંશોધકોએ લગભગ 10 હજાર વિષયો પર 24 દેશોના વૈજ્ઞાનિકો અને આધ્યાત્મિક નેતાઓ પાસેથી તેમના અભિપ્રાય લીધા હતા.

આ અભિપ્રાય બાદ , વિવિધ વિષયો પર આપેલા જવાબોને જોડીને એક મોટો રિપોર્ટ તૈયાર કરાયો છે. આ અહેવાલ 7 ફેબ્રુઆરી 2022 ના રોજ “નેચર હ્યુમન બિહેવિયર” માં પ્રકાશિત થયો હતો.

આ અભ્યાસમાં વિશ્વના ઘણા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમેરિકા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ચિલી, બેલ્જિયમ, રોમાનિયા, ઓસ્ટ્રેલિયા, લિથુઆનિયા, સિંગાપોર, બ્રાઝિલ, સ્પેન, જાપાન, ઈઝરાયેલ, તુર્કી, કેનેડા, ડેનમાર્ક, ચીન, ઈટાલી, ફ્રાન્સ, નેધરલેન્ડ, મોરોક્કો, જર્મની અને ક્રોએશિયા એક દેશ હતો.

સ્લાઇડમાં એક ચાર્ટ દર્શાવેલ છે. જેમાં લાલ રેખાઓ આધ્યાત્મિક ગુરુઓના મંતવ્યો રજૂ કરે છે અને ગ્રે રેખાઓ વૈજ્ઞાનિકોના મંતવ્યો રજૂ કરે છે. આ સંશોધન કોરોના સમયગાળામાં કરવામાં આવ્યું હતું જ્યારે વિજ્ઞાન માટે જીવન બચાવવાનો સૌથી મોટો પડકાર હતો.

આ અભ્યાસનું નેતૃત્વ કરી રહેલા સંશોધક સુઝેન હુગઈવીનના જણાવ્યા પ્રમાણે કોરોના સમયે લોકોની શ્રદ્ધા આધ્યાત્મિકતાની જગ્યાએ વિજ્ઞાનમાં વધુ જોવા મળી હતી. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં લોકોને એક વસ્તુમાં વિશ્વાસ હોય છે અને તેમની સહાનુભૂતિ બીજી વસ્તુમાં હોય છે. આ સંશોધક મુજબ  જે લોકો આધ્યાત્મિક ગુરુઓ પર ભરોસો કરતા હતા. જો કે, ત્યાં વધુ લોકો હતા જેઓ વૈજ્ઞાનિકોના તથ્યોમાં વધુ વિશ્વાસ ધરાવતા હતા. માનવીઓમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો ધાર્મિક માન્યતાઓને વિજ્ઞાન કરતાં વહેલા સ્વીકારે છે. દેશોના સ્તરે પણ આ તફાવત જોવા મળ્યો.

ભારત, ચીન, જાપાન, તુર્કી જેવા દેશોમાં લોકો વિજ્ઞાન પર વધુ આધાર રાખતા જોવા મળ્યા હતા. જ્યારે નેધરલેન્ડ્સમાં, લોકો એ નક્કી કરવામાં અસમર્થ હતા કે વિજ્ઞાન વિશ્વસનીય છે કે આધ્યાત્મિક. પૂર્વીય દેશોમાં આધ્યાત્મિકતાને વધુ વિશ્વસનીય માનવામાં આવે છે, જ્યારે પશ્ચિમી ખ્રિસ્તી દેશોમાં આ માન્યતા ઓછી જોવા મળતી હતી. અંતે, આ અભ્યાસનું તારણ સૂચવે છે કે વિશ્વના મોટાભાગના દેશો વિજ્ઞાન પર વધુ આધાર રાખે છે.ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ અંગેના ન્યૂઝ તાજેતરમાં Phys.org માં પ્રકાશિત થયા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code