1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનાં મોત,બાળકને ઈજા
ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનાં મોત,બાળકને ઈજા

ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનાં મોત,બાળકને ઈજા

0
Social Share

વલ્લભીપુરઃ ભાવનગર-વલ્લભીપુર રોડ પર સિહોર તાલુકાના જાંબાળા ગામનો પરિવાર માતાજીનાં દર્શને જઈ રહ્યો હતો. દરમિયાન પરિવારની બાઈકને ટ્રકચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલાં પતિ-પત્નીનાં સ્થળ પર જ મોત થયાં હતાં, જ્યારે બાઈકમાં સવાર બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે ઉમટી પડ્યો હતો. અને નાસી ગયેલા ટ્રકચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફમાણી તેમની પત્ની પાયલબેન અને પાંચ વર્ષીય પુત્રને લઈને પોતાની બાઈક પર ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. આ વેળાએ ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડી ગામથી આગળ પેટ્રોલપંપ પાસે એક ટ્રકચાલકે બાઈકસવાર દંપતી તથા તેના બાળકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના સર્જીને ટ્રકચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી નાસી છુટ્યો હતો તથા રોડ પર થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે વલ્લભીપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે. કે, ધંધુકાથી વલ્લભીપુર થઈને ભાવનગરનો સ્ટેટ હાઈવે પર ટ્રાફિકનું ભારણ રહેતુ હોવાથી આ રોડ પર અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે. આથી આ રોડને વધુ પહોળો બનાવવામાં આવે તેવી માગ ઊઠી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code