1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાધનપુરથી ‘હું વિધાનસભાની ચૂંટણી લડવાનો છું, મતદારોને નોંધારા નહીં છોડું, અલ્પેશ ઠાકોરનો હુંકાર
રાધનપુરથી ‘હું વિધાનસભાની ચૂંટણી લડવાનો છું, મતદારોને નોંધારા નહીં છોડું, અલ્પેશ ઠાકોરનો હુંકાર

રાધનપુરથી ‘હું વિધાનસભાની ચૂંટણી લડવાનો છું, મતદારોને નોંધારા નહીં છોડું, અલ્પેશ ઠાકોરનો હુંકાર

0
Social Share

પાટણઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી છે,ત્યારે તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં કહેવાય છે કે, ભાજપ આ વખતે નો-રિપિટ થિયરી અપનાવીને જુના જોગીઓને ઘરે બેસાડી નવા ચહેરાઓને સ્થામ આપશે. ભાજપમાં ચૂંટણી હારેલાને ટિકિટ મળે તેવી પણ શક્યતા ખૂબ ઓછી છે. હાલ ભાજપના નેતાઓ ભલે ટિકિટ માટેનું આશ્વાસન આપતા હોય પણ આખરી નિર્ણય તો ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ લેવાશે. ત્યારે કોંગ્રેસના હાથ છોડીને ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમાં હારી ગયેલા અલ્પેશ ઠાકોરે ફરીવાર રાધનપુરથી ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષ પલટા સહિત રાજકીય દાવપેચ શરુ થઈ ગયા છે. ભાજપના નેતા અને રાધનપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે. ભાજપમાં જોડાયા બાદ રાધનપુર બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો આમ છતાં પોતે વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં રાધનપુરથી ઉતરશે તેવી જાહેરાત એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે કરી છે.  પાટણમાં આયોજિત એક સમુહલગ્નના આયોજનમાં હાજરી આપવા પહોંચેલા અલ્પેશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો હુંકાર કર્યો હતો. અલ્પેશે આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, હું ચૂંટણી લડવાનો જ છું. પોતે ચૂંટણીમાં જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યં કે,  રાધનપુરના મતદારોએ મને ખુબ પ્રેમ આપ્યો છે, હું તેમને નોધારા નહીં છોડું. આ વિસ્તારનો છેલ્લા ત્રણ વર્ષથી વિકાસ અટકી ગયો છે. એટલે હું રાધનપુરથી જ ચૂંટણી લડવાનો છું અને મતદારો મને જ જીતાડવાના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એક સમયની અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની ત્રિપુટી અલ્પેશના ભાજપમાં આવવાથી તૂટી ગઈ છે, બીજી તરફ હાર્દિક પટેલને લઈને પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે હાર્દિકે પણ કોંગ્રેસ પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, આ સિવાય હાર્દિકે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં કરેલા ફેરફારોના લીધે પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. 23 ઓક્ટોબર 2017માં કોંગ્રેસમાં જોડાઈને પોતાની રાજકીય સફરની શરુઆત કરનારા અલ્પેશ ઠાકોરે એ જ વર્ષમાં રાધનપુરથી ચૂંટણી મેદાનમાં ઉતરીને જીત મેળવી હતી. જોકે, ત્યારબાદ 2 વર્ષની અંદર જ અલ્પેશે પક્ષ પલ્ટો કર્યો હતો અને ભાજપમાં જોડાયો હતો. ત્યારબાદ એપ્રિલ 2019માં ભાજપમાંથી પેટાચૂંટણી લડી હતી. જોકે તેમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવે ફરી એકવાર ભાજપ રાધનપુરની બેઠક માટે અલ્પેશ ઠાકોર પર વિશ્વાસ મૂકશે કે નહીં તે નજીકના ભવિષ્યમાં જાણવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code