1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીવાસીઓ માટે મહત્વના સમાચાર,1 ઓક્ટોબરથી આ સર્ટિફિકેટ નહીં રાખવામાં આવે તો 10 હજારનું ચલણ કપાશે
દિલ્હીવાસીઓ માટે મહત્વના સમાચાર,1 ઓક્ટોબરથી આ સર્ટિફિકેટ નહીં રાખવામાં આવે તો 10 હજારનું ચલણ કપાશે

દિલ્હીવાસીઓ માટે મહત્વના સમાચાર,1 ઓક્ટોબરથી આ સર્ટિફિકેટ નહીં રાખવામાં આવે તો 10 હજારનું ચલણ કપાશે

0
Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને અંકુશમાં લેવા માટે હવે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગુ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, આ એટલા માટે છે જેથી વાહનોમાંથી નીકળતા ધુમાડાને રોકી શકાય.

1 ઓક્ટોબરથી દિલ્હી એનસીઆરમાં માન્ય PUC  નહીં હોવા પર 10 હજાર ચલણ કાપવામાં આવશે.જો તમે પણ તમારા વાહનનું પ્રદૂષણ ચેક કરાવ્યું નથી અથવા તમારી પાસે માન્ય PUC નથી, તો એક અઠવાડિયાની અંદર તે કરાવી લો.

વાહનવ્યવહાર વિભાગના જોઈન્ટ કમિશનર નવલેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે,જો માન્ય PUC ન હોય તો 10 હજારના ચલણ કાપવામાં આવશે.સાથે જ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ 15 દિવસમાં વાહન પ્રદૂષણની તપાસ નહીં કરાવે તો તેમનું ચલણ કાપવામાં આવશે.10 હજાર રૂપિયા કાપવામાં આવશે.

આ સાથે તેમણે કહ્યું કે,જેમણે પોતાના 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો હજુ સુધી સ્ક્રેપ કર્યા નથી, તો આવા વાહનોને પણ રસ્તા પર ચલાવવા દેવામાં આવશે નહીં. આટલું જ નહીં જો આવા વાહનો જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલા જોવા મળશે તો તેને ઉપાડી સ્ક્રેપ માટે મોકલવામાં આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code