1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશમાં વડાપ્રધાન 7 ઓગસ્ટેના દિવસે પીએમજીકેએવાયના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત
મધ્યપ્રદેશમાં વડાપ્રધાન 7 ઓગસ્ટેના દિવસે પીએમજીકેએવાયના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

મધ્યપ્રદેશમાં વડાપ્રધાન 7 ઓગસ્ટેના દિવસે પીએમજીકેએવાયના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

0
Social Share
  • પીએમ મોદી PMGKAYના લાભાર્થી સાથે કરશે વાતચીત
  • મધ્યપ્રદેશના લાભાર્થી સાથે કરશે ચર્ચા
  • મધ્યપ્રદેશમાં લાભાર્થીની સંખ્યા 4.83 કરોડ

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટ, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશમાં વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.

રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંગે વધુ જાગૃતિ ફેલાવવાના હેતુથી આક્રમક અભિયાન શરૂ કરાયું છે જેથી કોઈપણ લાયક વ્યક્તિ આ યોજનાના લાભથી વંચિત ન રહે. રાજ્ય 7 ઓગસ્ટ, 2021નો દિવસ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ તરીકે ઉજવશે.

પીએમજીકેએવાય અંતર્ગત, મધ્યપ્રદેશમાં 4.83 કરોડ લાભાર્થીઓ 25000થી વધુ સસ્તા અનાજની દુકાનોમાંથી મફત રાશન મેળવી રહ્યા છે.

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા, હરિયાણા અને ગોવા રાજ્યના ફૂડ સેક્ટરના મંત્રીઓ તથા અધિકારીઓ પણ સાક્ષી બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code