1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઓડિશામાં GPSથી સજ્જ એમ્બ્યુલન્સ,દર્દીઓને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરવામાં કરશે મદદ
ઓડિશામાં GPSથી સજ્જ એમ્બ્યુલન્સ,દર્દીઓને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરવામાં કરશે મદદ

ઓડિશામાં GPSથી સજ્જ એમ્બ્યુલન્સ,દર્દીઓને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરવામાં કરશે મદદ

0
Social Share
  • ઓડિશામાં GPS થી સજ્જ એમ્બ્યુલન્સ
  • દર્દીઓને દાખલ થવામાં કરશે મદદ
  • 64 માંથી 40 એમ્બ્યુલન્સ GPS થી સજ્જ

ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વાયરસના દર્દીઓને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેંટરમાં વહેલી તકે દાખલ કરવા માટે એમ્બ્યુલન્સોને જીપીએસથી દેખરેખ શરૂ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં કોવિડ મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે 64 એમ્બ્યુલન્સ છે,જેમાંથી 40 જીપીએસથી સજ્જ છે અને બાકીની ટૂંક સમયમાં જીપીએસથી સજ્જ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે,જ્યારે બીએમસીના કોવિડ હેલ્પલાઇન નંબર ‘1929’પર ફોન પર સલાહ લીધા પછી દર્દીને ડીસીએચ અથવા સીસીસીમાં દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું,ત્યારે બીએમસીએ આમાંથી એક હોસ્પિટલમાં અથવા સેન્ટરમાં બેડ ફાળવ્યા હતા. તેમણે કહ્યું કે, એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને તેના રહેઠાણથી મુકવા માટે જાણ કરવામાં આવે છે. હવે આ એમ્બ્યુલન્સમાં જીપીએસ લગાવવામાં આવ્યા છે, જેથી એમ્બ્યુલન્સ દ્વારા દર્દીના ઘરે પહોંચવામાં જે સમય લાગ્યો છે તે જાણી શકાય.

ઓડિશામાં શુક્રવારે રેકોર્ડ 12,390 લોકો કોરોનાથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 5,88,687 થઇ ગઈ છે. તો,વધુ 22 લોકોના મોતને કારણે રાજ્યમાં કોવિડ -19 ને કારણે પોતાનો જીવ ગુમાવનારા કુલ લોકોની સંખ્યા વધીને 2,273 થઇ ગઈ છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code