1. Home
  2. ગુજરાતી
  3. આગામી સમયમાં ગૌવંશ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં હશેઃ પરશોત્તમ રૂપાલા
આગામી સમયમાં ગૌવંશ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં હશેઃ પરશોત્તમ રૂપાલા

આગામી સમયમાં ગૌવંશ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં હશેઃ પરશોત્તમ રૂપાલા

0
Social Share

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે. તેમ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ MSME દિવસ નિમિતે ‘ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)’  દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબીનારમાં કહ્યું હતું. MSME ડેનાં અવસર પર આયોજિત આંતરરાષ્ટ્રીય વેબિનાર “ગૌ ઉદ્યોગ સાહસિકતાથી સમૃદ્ધિ“માં જ્યાં MSME અને ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ગૌ ઉદ્યમીઓ માટેની સરકારી યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

સદ્ગુરુના ‘save soil ‘ ઝુંબેશનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જમીનની ઘટતી જતી ક્ષમતા અંગે કહ્યું કે જમીન સુધારવાની શક્તિ અને ક્ષમતા દેશી ગાયના ગોબરમાં છે. આ વૈશ્વિક સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે આપણું દેશી ગાયનું છાણ. આપણે આ દિશામાં કામ કરવાની જરૂર છે. આપણા વડાપ્રધાન કહે છે કે આપણે જમીનને ઘણા ઝેરના ઈન્જેક્શન આપ્યા છે. હવે આ જમીનને તેની પસંદગીની વસ્તુઓ ખવડાવો અને તે માત્ર ગાયનું ગોબર અને ગૌમૂત્ર છે.

આવક અને ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે અમૂલ એકમાત્ર એવો ઉદ્યોગ છે જે ગ્રામીણ અર્થતંત્રને દરરોજ રૂ.125 કરોડ આપે છે. આ પણ ગાય માતાનો મહિમા છે. માત્ર દૂધ જ નહીં, હવે હજારો ગાયોના ખાવા-પીવાનો ખર્ચ તેમના ગોબર અને ગૌ મૂત્રમાંથી જ મેળવી શકશે. ખેતી માત્ર આવક માટે જ નહીં પરંતુ વિશ્વની ખાદ્ય સુરક્ષા અને સમાજને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી છે.

હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કોરોનાના સંકટ દરમિયાન, જેઓ પ્રત્યક્ષ ગાયની સેવામાં રોકાયેલા હતા તેઓને કોરોના થયો ન હતો. વિશ્વનું માનવું છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ એ કોરોનાથી બચાવ છે. પશુધનના રક્ષણ માટે ભારત સરકારે રૂ.13 હજાર કરોડથી વધુની ફાળવણી સાથે દેશભરમાં પશુઓને રસીકરણની ઝુંબેશ શરૂ કરી છે. તેમણે GCCIને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ગૌ અને પશુપાલન પર દરેક જિલ્લામાં સેમિનાર યોજવા પ્રોત્સાહિત કર્યા. ગૌ પ્રજાતિના સંવર્ધન, માર્કેટિંગ, તાલીમ વગેરે અંગે જાગૃતિ લાવવા અને ગૌ ચિકિત્સા અને પંચગવ્યના ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો વિશે વાત કરી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code