1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં અસામાજીક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, સ્થાનિકોમાં ઉગ્રરોષ
વડોદરામાં અસામાજીક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, સ્થાનિકોમાં ઉગ્રરોષ

વડોદરામાં અસામાજીક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, સ્થાનિકોમાં ઉગ્રરોષ

0
Social Share

અમદાવાદઃ વડોદરાના કણભા ગામમાં તોફાની તત્વોએ શાંતિ હડોળવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીક તત્વોએ એક મંદિરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ મૂર્તિને તોડીને લઈ ગયાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કણભા ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવા માટે મંદિરમાં તોડફોડ કરવાની સાથે પોતાની સાથે મૂર્તિ ઉઠાવી ગયા હતા. આ બનાવની જાણ થતા સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યાં હતા. આ બનાવને પગલે સ્થાનિકોમાં ઉગ્રરોષ ફેલાયો છે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની કરવાની માંગણી કરી હતી.

આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code