1. Home
  2. ગુજરાતી
  3. ભારતઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હશે
ભારતઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હશે

ભારતઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે દેશભક્તિના માહોલમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ અને 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવશે.

આ વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. ભારતે આવતા વર્ષે જાન્યુઆરીમાં ક્વોડ લીડર્સની સમિટની યજમાનીના ભાગરૂપે રાષ્ટ્રપતિ બિડેનને ગણતંત્ર દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું. બિડેનને 26 જાન્યુઆરીએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કેટલાક કારણોસર જાન્યુઆરીમાં અહીં આવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે, 2024ના અંતમાં ભારતમાં ક્વાડ સમિટ યોજવાની દરખાસ્ત છે. હાલમાં વિચારણા હેઠળની તારીખો તમામ ક્વાડ ભાગીદારો સાથે સુમેળમાં નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં જાપાનના હિરોશિમામાં G-7 સમિટની બાજુમાં જાહેરાત કરી હતી કે ભારત આગામી ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે. તમને જણાવી દઈએ કે ક્વાડમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાનનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક પ્રદેશને સુનિશ્ચિત કરવાનો અને સમર્થન આપવાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code