Site icon Revoi.in

ભારતીય નાગરિકો શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. ભારત એવા 39 દેશોમાં સામેલ છે કે જેના માટે શ્રીલંકાએ વિઝા-મુક્ત મુસાફરી પ્રદાન કરી છે. ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથે નવી દિલ્હીમાં ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંવાદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ માટે સંસદીય ગેઝેટ નોટિફિકેશન જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવશે. હેરાથે આશા વ્યક્ત કરી હતી કે ભારત શ્રીલંકાના નાગરિકોને પણ આવી સુવિધાઓ આપશે.

શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત સાથે ઐતિહાસિક આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો છે, જેના આધારે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે શ્રીલંકામાં આવનારા પ્રવાસીઓમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો છે. વિજીથા હેરાથ 15 થી 17 ડિસેમ્બર દરમિયાન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ અનુર કુમાર ડિસાનાયકાના પ્રતિનિધિમંડળમાં સામેલ હતા.

Exit mobile version