1. Home
  2. ગુજરાતી
  3. ભારતની ચાંદ તરફ ઉડાનઃ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ, શ્રીહરિકોટાથી ભરી ઉડાન
ભારતની ચાંદ તરફ ઉડાનઃ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ, શ્રીહરિકોટાથી ભરી ઉડાન

ભારતની ચાંદ તરફ ઉડાનઃ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ, શ્રીહરિકોટાથી ભરી ઉડાન

0
Social Share

નવી દિલ્હીઃ ભારતના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું છે. તેને બપોરના લગભગ 2.35 કલાકે આંધ્રપ્રદેશના ક્ષીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી છોડવામાં આવ્યું છે. રૂ. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું મિશન લગભગ 40થી 45 દિવસની યાત્રા બાદ ચંદ્રમાના દક્ષિણીધ્રુવ પાસે લેન્ડ કરશે. જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. ચંદ્રયાન-3ને મોકલવા માટે એલવીએમ-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને પહેલા જીએસએલવી એમકે-3 નામથી ઓળખવામાં આવતું હતું. આ જ રોકેટથી ઈકરે અગાઉ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું.

ચંદ્રયાનની લોન્ચિંગને દેખવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. લોન્ચિંગ પહેલા તમામ એન્જિનમાં ફ્યુઅલ ભરવામાં આવ્યું હતું, તેમજ ઈસરોની ટીમે પ્રોગ્રામ્સ અને સોફ્ટવેરની પણ તપાસ કરી હતી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ મુખ્ય અતિથિ તરીકે શ્રીહરિકોટા સ્થિત સતીશ સેન્ટર પહોંચ્યાં હતા. આ ઉપરાંત લોન્ચિંગ સમયે ઈસરોના પૂર્વ ચીફ રાધાકૃષ્ણન, કે.સિવન અને એસ કિરણ કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. ચંદ્રયાન-3 આજે બપોરના સમયે લોન્ચ કરવામાં આવ્યું છે પરંતુ તેને ચંદ્ર ઉપર પહોંચતા એક મહિનાથી વધારેનો સમય લાગશે. લગભગ 23થી 24 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી ઉપર લેન્ડ કરે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ચંદ્રયાન-2 22મી જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ 6-7 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડરની ક્રેશ લેન્ડિંગ થઈ હતી. ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલથી સજ્જ છે. તેનું વજન લગભગ 3,900 કિગ્રા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code