1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસીયાઓને રેલવે વિભાગે કરી આ અપીલ
અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસીયાઓને રેલવે વિભાગે કરી આ અપીલ

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસીયાઓને રેલવે વિભાગે કરી આ અપીલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ પતંગ નહીં ઉડાવવા માટે રેલવે વિભાગે વિનંતી કરી છે. તેમજ , રેલ્વે ટ્રેકની નજીક પતંગ ઉડાવતી વખતે દોરામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કપાયેલો પતંગ પકડવા માટે રેલવે ટ્રેક ઉપર નહીં દોડવા માટે લોકોને રેલવે વિભાગ દ્વારા આપીલ કરવામાં આવી છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ મંડળના તમામ અનુભાગો પર ઓવરહેડ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયર દ્વારા 25000 વોલ્ટ પર રેલ્વે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્યું છે, ત્યાં ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલા પતંગ અને દોરાને દૂર કરવા જેવી પ્રવૃતિઓ જોવા મળે છે, જેના કારણે માનવ જીવન જોખમાય છે. 25000 વોલ્ટના ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલી પતંગોને વાયરમાંથી બહાર નીકાળતી વખતે માનવ જીવન જોખમમાં મુકાઇ શકે છે અને ઓવરહેડ ટ્રેક્શન વાયર તૂટી શકે છે. જેના કારણે રેલ્વે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ શકે છે અને માનવ જીવનને નુકસાન થઈ શકે છે. કેટલાક પતંગના દોરાઓ પર મેટાલિક પાવડર કોટિંગ કરવામાં આવે છે જેના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયરની આસપાસ પતંગ ઉડાવતી વખતે માનવ જીવનને નુકસાન થઈ શકે છે. રેલ્વે સ્ટેશન પર, રેલ્વે ટ્રેકની નજીક પતંગ ઉડાવતી વખતે દોરામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તેનાથી માનવ જીવન જોખમમાં આવી શકે છે અને અન્ય લોકોને પણ આવું ન કરવાની સલાહ આપવામાં આવે છે.

(PHOTO-FILE)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code