1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લામાં આતંકીઓની નાપાક હરકત – ગ્રેનેડ હુમલામાં ત્રણ જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લામાં આતંકીઓની નાપાક હરકત –  ગ્રેનેડ હુમલામાં ત્રણ જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લામાં આતંકીઓની નાપાક હરકત – ગ્રેનેડ હુમલામાં ત્રણ જવાન ઘાયલ

0
Social Share
  • કુલગામ જીલ્લા આતંકીઓની નાપાક હરકત
  • સ્કુલ પાસે આઈઈડી વિસ્ફોટ પ્લાન કર્યો
  • આ વિસ્ફોટમાં ત્રણ જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરઃ- જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપી રહ્યા છે, આતંકીઓ તેમના કૃત્યને અંજામ આપવા કોઈ પણ હદ સુધી જતા હોય છે ત્યારે આજ રોજ ફરી આતંકીઓ દ્રારા કુલગામ જીલ્લામાં નાપાક કૃત્ય કરવામાં આવ્યું છે.

આતંકવાદીઓએ બુધવારના રોજ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના શમ્સિપોરા વિસ્તારમાં નાપાક હરકતને અંજામ આપ્યો હતો. આતંકીઓએ આ વિસ્તારમાં સેનાની ટીમ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ હિમલવામાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ તરત જ  હુમલાગ્રસ્ત  વિસ્તારને ઘેરીને હુમલો કરનારાઓને પકડવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ગત મહિને સૌરામાં થયેલા આતંકી હુમલામાં ઘાયલ એક નાગરિકનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોની એસ.કે.આઇ.એમ.એસ. હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code