1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર: રોડ પર રખડતા ઢોરએ કર્યો એક વ્યક્તિ પર હુમલો,ઇજાગ્રસ્ત
જામનગર: રોડ પર રખડતા ઢોરએ કર્યો એક વ્યક્તિ પર હુમલો,ઇજાગ્રસ્ત

જામનગર: રોડ પર રખડતા ઢોરએ કર્યો એક વ્યક્તિ પર હુમલો,ઇજાગ્રસ્ત

0
Social Share
  • રખડતા ઢોરનો આતંક યથાવત
  • એક વ્યક્તિ પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત
  • ઇન્દિરા સોસાયટીમાં બન્યો બનાવ

જામનગર: રખડતા ઢોરોનો આતંક હજી પણ યથાવત છે.શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી.જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આવામાં જામનગરમાં રખડતા ઢોરના આતંકની વધુ એક ઘટના સામે આવી છે.

જામનગરમાં એક વ્યક્તિ પર રખડતા ઢોરે હુમલો કરતાં ઇજા પહોંચી હતી. જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ઇન્દિરા સોસાયટીની આ ઘટના છે. જેથી સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે,જામનગરમાં હજી પણ રખડતા ઢોરો જોવા મળે છે, અને નાગરિકો પર હુમલાના બનાવો બનતા રહે છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.ઢોરના કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે.ઢોરના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મામલે પગલા લેવા જરૂરી બન્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code