1. Home
  2. ગુજરાતી
  3. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં હવે તેજી આવશેઃ જુલાઈથી બ્રાસના પાર્ટની માગમાં જબ્બર વધારો થવાની શક્યતા
જામનગરના બ્રાસ ઉદ્યોગમાં હવે તેજી આવશેઃ જુલાઈથી બ્રાસના પાર્ટની માગમાં જબ્બર વધારો થવાની શક્યતા

જામનગરના બ્રાસ ઉદ્યોગમાં હવે તેજી આવશેઃ જુલાઈથી બ્રાસના પાર્ટની માગમાં જબ્બર વધારો થવાની શક્યતા

0
Social Share

જામનગરઃ ગુજરાતના બ્રાસ ઉદ્યોગનું કેન્દ્ર ગણાતા જામનગરના હજારો લઘુ અને ગૃહ ઉદ્યોગો હાલ 30-35 ટકા ક્ષમતાએ કામ કરી રહ્યા છે. કોરોનાને કારણે બ્રાસ ઉદ્યોગને વ્યાપક મંદીનો સામનો કરવો પડ્યો છે. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. અને બ્રાસના પાર્ટની માગ પણ વધા રહી છે. જાણકારોના કહેવા મુજબ આગામી જુલાઈ મહિનામાં બ્રાસના ઉત્પાદનમાં સારીએવી તાજી આવશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં તાંબા સહિત બિનલોહ ધાતુઓના સતત ઉંચા ભાવ અને જામનગર ખાતેથી હજારો પરપ્રાંતીય મજૂરોના પલાયન ઉપરાંત દેશમાં લોકડાઉંનને લીધે માગ ઘટવાથી બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદન ઘટી ગયું હતું. જો કે સ્થાનિક કામદારો વડે જોબવર્ક કરનારાં અતિ નાનાં એકમોમાં કામકાજ ચાલુ રહ્યા હતા

દેશ અને ગુજરાતમાં અઠવાડિયાથી કોરોનાની બીજી લહેર કાબૂમાં આવવાના સંકેતોથી અહીંના ઉદ્યોગકારોને હવે ઉત્પાદન સુધરવાની પ્રબળ આશા બંધાઈ છે, એમ એક અગ્રણી આયાતકારે વ્યાપારને જણાવ્યું હતું. બીજી તરફ અમેરિકાએ જાહેર કરેલા મસમોટા પ્રોત્સાહન પૅકેજને કારણે વૈશ્વિક બજારોમાં મુખ્યત્વે કાર અને અન્ય વપરાશી ચીજોની માગ ચોક્કસ વધશે. તેથી જામનગરના ઉદ્યોગોના કામમાં જુલાઈથી સારો સુધારો થવાની સંભાવનાં છે. ઉદ્યોગકારો આગળના સમયના તૈયારીમાં પડયા છે. જો કે નવી ખરીદી અને આયાત મર્યાદિત રહી છે. જામનગર એક્ઝિમ મર્ચન્ટ્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે `અમેરિકાના જંગી પ્રોત્સાહન પૅકેજથી વૈશ્વિક અર્થતંત્રમાં ચોક્કસ સુધારો આવશે. તેને લીધે બિનલોહ ધાતુઓના ભાવને તત્પૂરતો ટેકો મળશે અને સ્થાનિક ઉદ્યોગમાં નિકાસ માટેનાં કામકાજ વધશે એવી આશા છે. બીજી તરફ દેશમાં વિવિધ સ્થળોએ લૉકડાઉન હળવો થવાની શરૂઆત થઈ છે, જેની ઉદ્યોગો પર સાનુકૂળ અસર પડશે. કોરોનાનો કહેર ઘટવાથી પલાયન કરી ગયેલ કામદારો પણ જૂનથી જામનગર પાછા ફરશે એવી આશા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code