કિચન ટિપ્સઃ- પ્લેટફોર્મ પરથી ગંદકીને દૂર કરવા અપનાવો આ કેટલીક ખાસ ટિપ્સ
- તેલનો વધાર હંમેશા ઊંડા વાસણમાં કરવો
- જો કઢાઈમાં વઘાર કરો તો તરત જ ઢાકણ ઢાંકી દો
- તેલનો વધાર કરતા પહેલા તેમાં 2 ચપટી હરદળ ઉમેરી દો
દરેક ગૃહિણીઓ પોતાનો વધુને વધુ સમય કિચટનમાં પસાર કરતી હોય છે. સવારની ચા થી શરુાત થાય છે કે રાત્રીના ભોજન સુધી કિચન વ્યસ્ત રહેતું હોય છે,અવનવી વાનગીઓ અવનવા નાસ્તા બનાવવામાં દરેક ગૃહિણીઓ માહિર હોય છે. જો કે જમવાનું બનાવતી વખતે ગૃહિણીઓની ખાસ ફરીયાદ હોય છે કે તેલના છાંટા કિચનમાં બોવ ઉડે છે જેના કારણે કિચન ગંદૂ થવાની સમસ્યાઓ વધી જાય છે.
આજે વાત કરીશું એવી ટિપ્સની કે જેના થકી કિચનમાં જ્યારે પણ તમે તેલનો વઘાર કરો તો છાંટા પણ ન ઉડે અને જો તેલના કારણે કિચનની વોલ ગંદી થઈ ગઈ હો. તો તેના ડાઘાને કઈ રીતે દૂર કરવા તેના કેટલાક ઉપાયો પર એક નજર કરીશું.
તેલના વઘારના છાંટા ન ઉડે તે માટે અપનાવો નીચે મુજબની 4 ખાસ ટિપ્સ
- જો તેલનો વઘાર કરતી વખતે તેલ વધુ કઢાઈની બહાર ઉડતું હોય તો તેલમાં સૌ પ્રથમ બે ચપટી જેટલી હરદળ નાખવી જેનાથી તેલ વધુ ઉડશે નહી
- તેલના છાંટાથી કિચનની વોલની રક્ષા કરવા માટે જેવો વધાર કરો કે તરત જ કઢાઈમાં ઢાંકણ ઢાકી દો જેથી છાંટા ઉડશે નહી.
- જ્યારે પણ કોઈ વાનગીનો વઘાર કરતા હોવ ત્યારે ગેસના ચૂલાનો દિવાસથી થોડો દૂર ખસેડી લેવો.
- બને ત્યા સુધી ઊંડા વાસણનો જ ઘાર કરવા માટે ઉપયોગ કરવો જોઈએ
તેલના પીળાશ પડતા ડાઘાને વોલ પુરથી આ રીતે કરો દૂર
- કિચનની સાઈડની દિવાલ પર પડેલા તેલના ડાઘા બ્લિચિંગના પાણીની મદદથી દૂર કરી શકાય છે.
- આ સાથે જ્યારેપણ રસોઈ બની જાય ત્યારે પહેલા ગરમ પાણી કિચનની દિવાલ પર રેડી દેવું જેથી તેલની ચીકાશ સરળતાથી નીકળી જાય.
- પીળાશ પડતા ડાધા પર માર્કેટમાં મશળતા ક્લિનરનો ઉપયોગ કરી શકો છો, તેને લગાવીને 5 મિનિટ રહેવા દો ત્યાર બાદ તેને સાફ કરીલો આમ કરવાથી વોલ પરના ડાધા સરળતાથી દૂર થી જશે.
- વોલ પરના ડાધાને દૂર કરવા તમે ખટાશ વાળી વસ્તુ જેવી કે લીબું, લીબુંના ઉૂલ, સોડાખારનો પણ ઉપયોગ કરી શકો છો, તેનું પાણી બનાવીને એક કોટનના કપાની મદદથી વોલ પર લગાવીને 2 મિનિટ રહેવાદો ત્યાર બાદ વોલને સાદા પાણી વડે સાફ કરીલો ડાઘા દૂર થઈ જશે.
tags:
kitchen tips