1. Home
  2. ગુજરાતી
  3. બનાસકાંઠામાં વરસાદી માહોલઃ દાંતીવાડામાં ખેડૂતના ઘર પર વીજળી પડતા તમામ વીજ ઉપકરણો બળીને ખાક
બનાસકાંઠામાં વરસાદી માહોલઃ દાંતીવાડામાં ખેડૂતના ઘર પર વીજળી પડતા તમામ વીજ ઉપકરણો બળીને ખાક

બનાસકાંઠામાં વરસાદી માહોલઃ દાંતીવાડામાં ખેડૂતના ઘર પર વીજળી પડતા તમામ વીજ ઉપકરણો બળીને ખાક

0
Social Share

પાલનપુરઃ રાજ્યભરમાં આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે સવારથી બપોર સુધીમાં 88 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 166 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેંમાં રાજકોટના ગોંડલમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ધમાકેદાર મેઘરાજાનું આગમન થયું છે. દાંતીવાડ અને ડિસામાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. આ વર્ષે વીજળી પડવાના સૌથી વધુ બનાવો બની રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના માળીવાસમાં મોડી રાત્રે એક ઘર ઉપર વીજળી પડી હતી. ઘર ઉપર વીજળી પડતાં  ઘરમાં રહેલ વીજ ઉપકરણ બળીને ખાક થયા હતા. એટલુ જ નહિ, ઘરની દિવાલો ઉપર પણ સામાન્ય તિરાડો પડી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના માળીવાસમાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતના ઘર પર વીજળી પડી હતી. દાંતીવાડા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે માળીવાસના ખેડૂત શાંતિભાઈ માળીના ઘર ઉપર વીજળી પડી હતી. જેમાં વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે. વીજળી પડતાની સાથે દોડધામ મચી ગઇ હતી. તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાને ઘટનાની જાણ થતાં તેઓએ તલાટીમંત્રી અને સર્કલ અધિકારીને રિપોર્ટ કરવા જણાવ્યું છે.  બનાસકાંઠા ના તમામ તાલુકાઓમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. ધાનેરા, દાંતીવાડા પંથકમાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ધાનેરાના બાપલા, વક્તાપુરા, આલવાડા, ગોળીયા, વાછોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધીમે ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code