
રાજ્યમાં માત્ર શ્રમિકો જ નહીં પણ અન્ય લોકો સામેના લોકડાઉન ભંગના કેસ પાછા ખેંચાશે ખરા?
અમદાવાદઃ કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તેના ઉલ્લંઘનના કિસ્સા પણ સામે આવ્યા હતા. આવામાં સરકાર દ્રારા 500થી વધારે મજૂરો સામે લોકડાઉનના ઉલ્લંઘન બદલ કરાયેલા કેસને પરત લેવાની જાહેરાત કર્યા બાદ, એવી ચર્ચા શ થઈ ગઈ હતી કે રાજ્યના 1.75 લાખથી વધુ નાગરિકો સામે નોંધાયેલા કેસ પણ પરત ખેંચવામાં આવશે. જોકે, રાજ્ય સરકારના સૂત્રો દ્રારા સ્પષ્ટ્રતા કરવામાં આવી છે કે લોકડાઉનના ઉલ્લંઘના કેસ પાછા ખેંચવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
અગાઉ સરકારે કેટલાક કેસો જેવા કે, પાટીદાર, દલિત અને જ્ઞાતિ આધારિત અનામત જેવા આંદોલન દરમિયાન અને ખેડૂત આંદોલન દરમિયાન નાગરિકો પર લગાવેલા કેસ પરત ખેંચ્યા હતા. આવું જ લોકડાઉન દરમિયાન નાગરિકો પર લગાવેલા કેસમાં થશે તેમ માનવામાં આવી રહ્યું છે. એવી આશા વ્યકત કરવામાં આવી રહી છે કે લોકડાઉન દરમિયાન સિનિયનર સિટીઝન, મહિલાઓ અને ધાબા પર ફરતા લોકો પર લાગુ કરવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવી શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારને નાગરિકો અને સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે જેઓ ગુનાઈત પ્રવૃત્તિ નથી ધરાવતા તેમની સામે લગાવેલા કેસો પરત ખેંચવા જોઈએ. જોકે ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે હજુ ત્રીજી લહેરની સંભાવના છે એવામાં પણ લોકડાઉન લગાવવાની જરૂર પડી શકે છે. આવામાં અગાઉથી જ નાગરિકો સામે લોકડાઉન ઉલ્લંઘન બદલ લગાવેલા કેસ પાછા ખેંચવાથી મહામારી દરમિયાન તેવી અવળી અસર પડી શકે છે. માનવતાની દ્રષ્ટ્રિએ મજૂરો સામે લગાવેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે.
ગૃહ મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, 1000થી વધુ શ્રમિક ટ્રેન ગુજરાતમાંથી ચલાવવામાં આવી હતી, જેમાં 24 લાખ પ્રવાસી મજૂરો પોતાના વતન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે ઉમેયુ કે, સરકારી વકીલ દ્વારા આ અંગે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે કે જેમાં પ્રવાસી મજૂરો સામે લોકડાઉન ઉલ્લંઘનના જે કેસ લાગુ કરાયા હતા તેને પરત ખેંચવામાં આવશે.