- રાજસ્થાનમાં આજથી ૩ મે સુધી લોકડાઉન
- જન અનુશાસન પખવાડિયા નામ આપ્યું
- જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ રહેશે શરૂ
જયપુર : સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ વણસી છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે રાજ્યમાં સરકાર લોકડાઉન કરવા અગ્રેસર થઇ છે. ત્યારે રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને ગેહલોત સરકારે આજે એટલે કે 19 એપ્રિલથી 3 મે સુધી લોકડાઉન લગાવી દીધું છે. ગેહલોત સરકારે આ લોકડાઉનને ‘જન અનુશાસન પખવાડિયા ‘નામ આપ્યું છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. બજાર-માલ-સિનેમાઘરો પણ બંધ રહેશે. આ સિવાય ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં રવિવારે કોરોના વાયરસથી બે ધારાસભ્યો સંક્રમિત જાણવા મળ્યા હતા.આ સંક્રમણથી 10,514 નવા કેસો સામે આવ્યા છે અને સંક્રમિતોની સંખ્યા વધીને 4,14,869 થઇ ગઈ છે. વળી,42 વધુ દર્દીઓનાં મોતને લીધે મહામારીને લીધે અત્યાર સુધીમાં 3,151 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 67,387 થઇ ગઈ છે.
‘જન અનુશાસન પખવાડિયા’દરમિયાન આ સેવાઓ રહેશે શરૂ
- પખવાડિયા દરમિયાન તમામ કાર્યસ્થળ,બજારો અને મથકો બંધ રહેશે.
- યાત્રા ટિકિટ બતાવવા પર રેલ,બસ,મેટ્રો અને વિમાન વગેરેમાં યાત્રાની સુવિધા મળી શકશે.
- યાત્રા પહેલા 72 કલાકમાં કરવામાં આવેલ આરટી-પીસીઆર નેગેટિવ બતાવવો પડશે.
- શાકભાજી,ફળો,દૂધ,કરિયાણાની વસ્તુઓ સાંજે 5 વાગ્યા સુધી દુકાનો દ્વારા વેચી શકાશે.
- ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા કર્મચારીઓને આઈડી કાર્ડ દેખાડવા પર અવરજવરની છૂટ રહેશે.
- એલપીજી ગેસ,પેટ્રોલ પમ્પ સેવા રાત્રે 8 વાગ્યા સુધી શરૂ રહેશે.
- સ્વીટ શોપ,પ્રોસેસ્ડ ફૂડ રાતે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
- અનિવાર્ય સેવાઓ… તબીબી સેવાઓ,કેમિસ્ટની દુકાન,ઉદ્યોગો,ઉત્પાદન એકમો શરૂ રહેશે,જેથી શ્રમિકોનું પલાયન અટકાવી શકાય.
દેવાંશી