1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભગવાન જગન્નાથની રથયાત્રા 2023, આ હશે ખાસ જાણવા જેવી વાત

ભગવાન જગન્નાથની રથયાત્રા 2023, આ હશે ખાસ જાણવા જેવી વાત

0
Social Share

અમદાવાદ : વર્ષોથી અમદાવાદ શહેરમાં નીકળતી ભગવાન જગન્નાથની યાત્રાને લઈને મહત્વની જાણકારી મળી છે, જાણકારી એવી છે કે જેને સાંભળીને દરેક ભક્તોના મનમાં ખુશીનો માહોલ બની જશે. જાણકારી અનુસાર દર વર્ષે 72 વર્ષ પછી એટલે કે 73માં વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નવા રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળવાના છે. આ જાણકારી ના રથનું સમારકામ કરનાર અને રથ ખેંચનાર મહેન્દ્રભાઈ ખલાસે આપી છે.

હાલમાં જૂના રથની ડિઝાઇન અને તેના માપ મુજબ જ નવા રથ બનાવવામાં આવ્યા છે. રથની ઊંચાઈ અને પહોળાઈ જૂના રથ પ્રમાણે જ છે. એકમાત્ર નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રથની વચ્ચે ભગવાનને બેસાડવામાં આવે છે અને બાજુમાં જે પિલર બનાવવામાં આવેલા છે, તેની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જગન્નાથપુરી મંદિરની થીમ ઉપર કલર આપવામાં આવનાર છે તે મુજબ કલર કરવામાં આવશે.

વર્ષ 1950માં નવા રથ બનાવવામાં આવ્યા હતા. 72 વર્ષ બાદ આ વર્ષે 73માં વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નવા રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળવાના છે. આ વર્ષે નવા રથ બનાવવાના હોવાથી દિવાળી બાદ લાકડા આવવાનું અને નાનું-મોટું કામ શરૂ થઈ ગયું હતું. આ રથ બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.

22મી જૂને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજવાની છે, ત્યારે આજે શનિવારે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથનું પૂજન કરવામાં આવશે. અખાત્રીજના દિવસે ભગવાનને ચંદનનો શણગાર કરવામાં આવતો હોય છે. રથનું પૂજન કરી અને રથની કામગીરીની શરૂઆત થતી હોય છે. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે રથનું પૂજન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code