ચૂંટણી પછી મોંઘુ થશે મોબાઈલ રિચાર્જ, 20% સુધી વધશે પ્લાનની કીંમતો
પાછલા બે વર્ષમાં મોબાઈલ રિચાર્જ પ્લાનની કીંમતોમાં કોઈ બદલાવ નથી થયો પણ જલ્દી તેમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. દેશમાં 5જીને લોન્ચ થયે 2 વર્ષ પૂરી થી ગયા છે અને તમામ લોકો પાસે 5જી મોબાઈલ છે અને દેશમાં 5જી લગભગ તમામ શહેરોમાં પહોંચી ગયુ છે. ટેલિકોમ કંપનીઓએ 5જી લોન્ચ કરવામાં ઘણા પૈસા ખર્ચ્યા છે અને આ પૈસા વસૂલવાનો સમય આવી ગયો છે.
એટલા માટે આવું કહી રહ્યા છીએ કેમ કે ચૂંટણી પછી તરત જ તમામ ટેલિકોમ કંપનીઓના પ્લાન મોંઘા થવાના છે. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે. કંપનીએ કહ્યું છે કે સામાન્ય ચૂંટણી બાદ મોબાઈલ ટેરિફ પ્લાનની કિંમતોમાં 20%નો વધારો થશે.
તેનાથી તેનો EBITDA 12-15% વધશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તેનાથી તેની પ્રતિ યૂઝર્સ સરેરાશ આવક (ARPU)માં રૂ. 270નો વધારો થશે. નવા રિચાર્જ પ્લાન પણ ચૂંટણી પછી શરૂ થવાની ધારણા છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. પરંતુ મોબાઈલ રિચાર્જના પ્લાનની કિંમતમાં વધારો થાય તેવી શક્યતાઓ જાણકારો પણ માની રહ્યાં છે.
• 100 રૂપિયાનો પ્લાન 120 રૂપિયાનો થઈ જશે
જો કે કોઈ પણ કંપની પાસે 100 રૂપિયાનો પ્લાન નથી, પણ જો આપણે એક ઉદાહરણથી સમજીએ તો, જો ટેરિફ પ્લાનની કિંમતમાં 20 ટકાનો વધારો થાય છે, તો 100 રૂપિયાનો પ્લાન 120 રૂપિયાનો થઈ જશે. 700 રૂપિયાના પ્લાનની કિંમત 820 રૂપિયા થઈ જશે.