એમ.એસ.ધોનીને આ ભારતીય પૂર્વ કેપ્ટનના ઠપકાએ બનાવ્યો દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફિનિશર
દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. ધોનીએ પોતાના કેરિયરની શરૂઆતમાં એક સારો ફિનિશર ન હતો. જો કે, પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો ઠપકો સાંભલ્યાં બાદ તેણે આ સ્કિલ ઉપર કામ શરૂ કર્યું હતું. આ વાતનો ખુલાસો ભારતના પૂર્વ બેસ્ટમેન વીરેન્દ્ર સહેવાગે કર્યો હતો.
ધોનીની ફિનિશર બનવાની વાત કરતા સહેવાગે જણાવ્યું હતું કે, વર્ષ 2006માં પાકિસ્તાન પ્રવાસમાં ધોનીએ ખરાબ શોટ રમ્યા હતા. જેથી ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડ ખુબ જ નારાજ થયાં હતા. તેમણે ધોનીને ઠપકો આપતા કહ્યું હતું કે, આવી રીતે આપ રમો છો. તમારે મેચને ખત્મ કરીને આવુ હતું.
સહેવાગે વધુમાં કહ્યું કે, તે બાદ ધોની જ્યારે પણ બેટીંગ કરવા આવતો ત્યારે વધારે સતર્ક રહેતો હતો. તે સમયે જ્યારે મે ધોનીને પૂછ્યું કે શું થયું, તેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે, ફરીથી રાહુલ દ્રવિડના ગુસ્સાનો શિકાન નથી બનવા માંગતો. તેમજ હવે જેમ બને તેમ જલ્દીથી આ મેચને ખતમ કરવા માંગુ છું.
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાને સારા ફિનિશરના રૂપમાં સાબિત કર્યો હતો. તેમજ અંતિમ સમય સુધી પીચ ઉપર રહેવા છતા ભારત માત્ર બે વાર મેચ હારી છે. ધોનીએ અનેક વાર ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. વર્લ્ડ કપ-2011ની ફાઈનલમાં ધોનીએ એ સિક્સર આજે પણ લોકોને યાદ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે એમએસ ધોનીની આગેવાનીમાં જ ટી-20 વર્લ્ડ કપ, 2011નો વિશ્વ કપ અને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી.
(Photo - Social Media)